Tuesday, January 20, 2026

મહિલા સશક્તિકરણનું નવું પગલું : અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીમાં સખી મંડળ દ્વારા ‘મંગલમ’ કેન્ટીનનો પ્રારંભ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવનિર્મિત કચેરી ખાતે સખી મંડળ દ્વારા સંચાલિત ‘મંગલમ’ કેન્ટીનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્ટીન મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપશે. કેન્ટીનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સખી મંડળની બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવનિર્મિત કચેરી ખાતે મંગલમ કેન્ટીન શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરની કચેરીએ આવતા મુલાકાતીઓ તથા સ્ટાફને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે, સાથે જ આત્મનિર્ભરતાના અભિયાનમાં અમદાવાદ શહેર પોલીસ સહભાગી થઈ શકે તે હેતુથી આ કેન્ટીન શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા તારીખ 02/04/25ના રોજ આ મંગલમ કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદ કમિશ્નરની કચેરી ખાતે કાર્યરત મંગલમ કેન્ટીનમાં વિરમગામ તાલુકાના રંગપુર ગામના ત્રિદેવ સખી મંડળ દ્વારા સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યપ્રદ અને સ્વચ્છ ભોજનની સુવિધા આપવામાં આવે છે. આ કેન્ટીન સવારે 10:00 થી સાંજે 05:30 સુધી કાર્યરત હોય છે.

મિશન મંગલમ હેઠળ સરકાર દ્વારા મળતી સહાય તેમને ખૂબ મદદરૂપ થાય છે. કુલ 6 બહેનો મળીને અમદાવાદ કમિશ્નર કચેરી ખાતે ચાલતી મંગલમ કેન્ટીનનું સંચાલન કરે છે. તેમનું ત્રિદેવ સખી મંડળ છેલ્લાં 3 વર્ષથી કાર્યરત છે જેમાં 10 જેટલી બહેનો જોડાયેલી છે. આ બહેનો પોતાની રસોઈની આવડતના આધારે તાલુકા પંચાયતના કાર્યક્રમોમાં સહભાગી થતા હતા. હાલમાં આ સખી મંડળની બહેનો આત્મનિર્ભર બની પોતાના ઘર, કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે છે. અમદાવાદ કમિશનરની કચેરી ખાતે કેન્ટીન માટે જગ્યા પૂરી પાડવા તથા બહેનોને આત્મનિર્ભર કરવામાં મદદરૂપ થવા બદલ આ બહેનો સરકારનો ખૂબ આભાર માને છે.

મંગલમ કેન્ટીનની વાત કરવામાં આવે તો, અત્યારે આ કેન્ટીન સરકારી કચેરીઓ, યુનિવર્સિટી કોલેજ કેમ્પસ, હોસ્પિટલો અને અન્ય વિવિધ સરકારી ખાનગી સંસ્થાઓમાં કાર્યરત છે. મંગલમ કેન્ટીનના માધ્યમથી સખી મંડળની બહેનોને રોજગારના નવા અવસરો પ્રાપ્ત થાય છે. જે તેમને ઉદ્યોગ સાહસિક બનવા માટેનો એક મજબૂત મંચ પૂરો પાડે છે. મંગલમ કેન્ટીનમાં કાર્યરત મહિલાઓ આત્મનિર્ભર થઈ તેમના સામાજિક જીવનમાં સન્માન અને સમૃદ્ધિ મેળવે છે. મંગલમ કેન્ટીન મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું એક પ્રેરણાદાયી પગલું છે. આ કેન્ટીન કારણે મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે મદદ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...