Wednesday, March 4, 2026

મહિલા સશક્તિકરણનું નવું પગલું : અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીમાં સખી મંડળ દ્વારા ‘મંગલમ’ કેન્ટીનનો પ્રારંભ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવનિર્મિત કચેરી ખાતે સખી મંડળ દ્વારા સંચાલિત ‘મંગલમ’ કેન્ટીનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્ટીન મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપશે. કેન્ટીનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સખી મંડળની બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવનિર્મિત કચેરી ખાતે મંગલમ કેન્ટીન શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરની કચેરીએ આવતા મુલાકાતીઓ તથા સ્ટાફને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે, સાથે જ આત્મનિર્ભરતાના અભિયાનમાં અમદાવાદ શહેર પોલીસ સહભાગી થઈ શકે તે હેતુથી આ કેન્ટીન શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા તારીખ 02/04/25ના રોજ આ મંગલમ કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદ કમિશ્નરની કચેરી ખાતે કાર્યરત મંગલમ કેન્ટીનમાં વિરમગામ તાલુકાના રંગપુર ગામના ત્રિદેવ સખી મંડળ દ્વારા સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યપ્રદ અને સ્વચ્છ ભોજનની સુવિધા આપવામાં આવે છે. આ કેન્ટીન સવારે 10:00 થી સાંજે 05:30 સુધી કાર્યરત હોય છે.

મિશન મંગલમ હેઠળ સરકાર દ્વારા મળતી સહાય તેમને ખૂબ મદદરૂપ થાય છે. કુલ 6 બહેનો મળીને અમદાવાદ કમિશ્નર કચેરી ખાતે ચાલતી મંગલમ કેન્ટીનનું સંચાલન કરે છે. તેમનું ત્રિદેવ સખી મંડળ છેલ્લાં 3 વર્ષથી કાર્યરત છે જેમાં 10 જેટલી બહેનો જોડાયેલી છે. આ બહેનો પોતાની રસોઈની આવડતના આધારે તાલુકા પંચાયતના કાર્યક્રમોમાં સહભાગી થતા હતા. હાલમાં આ સખી મંડળની બહેનો આત્મનિર્ભર બની પોતાના ઘર, કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે છે. અમદાવાદ કમિશનરની કચેરી ખાતે કેન્ટીન માટે જગ્યા પૂરી પાડવા તથા બહેનોને આત્મનિર્ભર કરવામાં મદદરૂપ થવા બદલ આ બહેનો સરકારનો ખૂબ આભાર માને છે.

મંગલમ કેન્ટીનની વાત કરવામાં આવે તો, અત્યારે આ કેન્ટીન સરકારી કચેરીઓ, યુનિવર્સિટી કોલેજ કેમ્પસ, હોસ્પિટલો અને અન્ય વિવિધ સરકારી ખાનગી સંસ્થાઓમાં કાર્યરત છે. મંગલમ કેન્ટીનના માધ્યમથી સખી મંડળની બહેનોને રોજગારના નવા અવસરો પ્રાપ્ત થાય છે. જે તેમને ઉદ્યોગ સાહસિક બનવા માટેનો એક મજબૂત મંચ પૂરો પાડે છે. મંગલમ કેન્ટીનમાં કાર્યરત મહિલાઓ આત્મનિર્ભર થઈ તેમના સામાજિક જીવનમાં સન્માન અને સમૃદ્ધિ મેળવે છે. મંગલમ કેન્ટીન મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું એક પ્રેરણાદાયી પગલું છે. આ કેન્ટીન કારણે મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે મદદ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...