Wednesday, March 11, 2026

અમદાવાદમાં હવે આવશે ખરી રોનક, સાબરમતી રિવરફ્રન્ટ પર ફરીથી શરૂ થશે બોટિંગ ! જાણો સંપૂર્ણ માહિતી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રોજબરોજ અલગ-અલગ પ્રકારની એક્ટિવિટી ચલાવવામાં આવતી હતી. એક સમય એવો હતો કે, પ્રવાસ રસિકો જ્યારે રિવરફ્રન્ટ પર આવે ત્યારે તેની તમામ એક્ટિવિટીની મજા માણતા અને પોતાનો સમય હળવાશથી પસાર કરતા. જો કે, વડોદરામાં થયેલ હરણી બોટ કાંડ પછી રાજયની મોટાભાગની નદીઓમાં અને તળાવમાં ચાલતી બોટિંગ સેવાને બંધ કરી દેવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી બોટીંગ સેવા શરૂ થવા જઈ રહી છે. બોટીંગ સેવા શરૂ કરવા માટે ગતિવિધિઓ અને કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બોટીંગ સેવા શરૂ કરવા માટે IRS દ્વારા ઇન્સ્પેકસન શરૂ કરાયું છે. સ્થળ નિરીક્ષણ અને બોટીંગ સેફટીને લઇ રીપોર્ટ તૈયાર કરી કમિશનરમાં આપવામાં આવશે. ત્યાર બાદ મંજૂરી મળ્યા બાદ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બોટીંગ સેવા શરૂ થશે.

સાબરમતી રિવરફ્રન્ટ પર બોટનું વજન અને તેની સેફટી લઈને ચેકિંગ કરવામાં આવ્યું છે. તેમજ બોટને સાબરમતી નદીમાં ઉતારીને તેનું ટેસ્ટિંગ કરાયું અને બોટનું ટ્રાયલ કરવામાં આવ્યું. જણાવી દઈએ કે, સુરક્ષાના નિયમોને ધ્યાનમાં રાખીને જ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ કમિશનરને આપવામાં આવશે અને રિપોર્ટ પર મંજૂરી મળ્યા બાદ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પૂરજોશે બોટિંગ સેવા શરૂ કરવામાં આવશે.

આમ જોવા જઈએ તો, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ટૂંક સમયમાં જ બોટિંગ સેવા શરૂ થઈ જશે. આ સેવા શરૂ થતા જ અમદાવાદીઓ અને રિવરફ્રન્ટ પર આવતા મુસાફરોમાં હર્ષોલ્લાસ છવાશે. બીજું કે, બોટિંગ સેવા શરૂ થતા જ સાબરમતી રિવરફ્રન્ટનો નજારો પણ અદભૂત લાગશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...