અમદાવાદ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રોજબરોજ અલગ-અલગ પ્રકારની એક્ટિવિટી ચલાવવામાં આવતી હતી. એક સમય એવો હતો કે, પ્રવાસ રસિકો જ્યારે રિવરફ્રન્ટ પર આવે ત્યારે તેની તમામ એક્ટિવિટીની મજા માણતા અને પોતાનો સમય હળવાશથી પસાર કરતા. જો કે, વડોદરામાં થયેલ હરણી બોટ કાંડ પછી રાજયની મોટાભાગની નદીઓમાં અને તળાવમાં ચાલતી બોટિંગ સેવાને બંધ કરી દેવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી બોટીંગ સેવા શરૂ થવા જઈ રહી છે. બોટીંગ સેવા શરૂ કરવા માટે ગતિવિધિઓ અને કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બોટીંગ સેવા શરૂ કરવા માટે IRS દ્વારા ઇન્સ્પેકસન શરૂ કરાયું છે. સ્થળ નિરીક્ષણ અને બોટીંગ સેફટીને લઇ રીપોર્ટ તૈયાર કરી કમિશનરમાં આપવામાં આવશે. ત્યાર બાદ મંજૂરી મળ્યા બાદ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બોટીંગ સેવા શરૂ થશે.
સાબરમતી રિવરફ્રન્ટ પર બોટનું વજન અને તેની સેફટી લઈને ચેકિંગ કરવામાં આવ્યું છે. તેમજ બોટને સાબરમતી નદીમાં ઉતારીને તેનું ટેસ્ટિંગ કરાયું અને બોટનું ટ્રાયલ કરવામાં આવ્યું. જણાવી દઈએ કે, સુરક્ષાના નિયમોને ધ્યાનમાં રાખીને જ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ કમિશનરને આપવામાં આવશે અને રિપોર્ટ પર મંજૂરી મળ્યા બાદ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પૂરજોશે બોટિંગ સેવા શરૂ કરવામાં આવશે.
આમ જોવા જઈએ તો, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ટૂંક સમયમાં જ બોટિંગ સેવા શરૂ થઈ જશે. આ સેવા શરૂ થતા જ અમદાવાદીઓ અને રિવરફ્રન્ટ પર આવતા મુસાફરોમાં હર્ષોલ્લાસ છવાશે. બીજું કે, બોટિંગ સેવા શરૂ થતા જ સાબરમતી રિવરફ્રન્ટનો નજારો પણ અદભૂત લાગશે.