Wednesday, January 21, 2026

અમદાવાદમાં હવે આવશે ખરી રોનક, સાબરમતી રિવરફ્રન્ટ પર ફરીથી શરૂ થશે બોટિંગ ! જાણો સંપૂર્ણ માહિતી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રોજબરોજ અલગ-અલગ પ્રકારની એક્ટિવિટી ચલાવવામાં આવતી હતી. એક સમય એવો હતો કે, પ્રવાસ રસિકો જ્યારે રિવરફ્રન્ટ પર આવે ત્યારે તેની તમામ એક્ટિવિટીની મજા માણતા અને પોતાનો સમય હળવાશથી પસાર કરતા. જો કે, વડોદરામાં થયેલ હરણી બોટ કાંડ પછી રાજયની મોટાભાગની નદીઓમાં અને તળાવમાં ચાલતી બોટિંગ સેવાને બંધ કરી દેવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી બોટીંગ સેવા શરૂ થવા જઈ રહી છે. બોટીંગ સેવા શરૂ કરવા માટે ગતિવિધિઓ અને કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બોટીંગ સેવા શરૂ કરવા માટે IRS દ્વારા ઇન્સ્પેકસન શરૂ કરાયું છે. સ્થળ નિરીક્ષણ અને બોટીંગ સેફટીને લઇ રીપોર્ટ તૈયાર કરી કમિશનરમાં આપવામાં આવશે. ત્યાર બાદ મંજૂરી મળ્યા બાદ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બોટીંગ સેવા શરૂ થશે.

સાબરમતી રિવરફ્રન્ટ પર બોટનું વજન અને તેની સેફટી લઈને ચેકિંગ કરવામાં આવ્યું છે. તેમજ બોટને સાબરમતી નદીમાં ઉતારીને તેનું ટેસ્ટિંગ કરાયું અને બોટનું ટ્રાયલ કરવામાં આવ્યું. જણાવી દઈએ કે, સુરક્ષાના નિયમોને ધ્યાનમાં રાખીને જ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ કમિશનરને આપવામાં આવશે અને રિપોર્ટ પર મંજૂરી મળ્યા બાદ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પૂરજોશે બોટિંગ સેવા શરૂ કરવામાં આવશે.

આમ જોવા જઈએ તો, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ટૂંક સમયમાં જ બોટિંગ સેવા શરૂ થઈ જશે. આ સેવા શરૂ થતા જ અમદાવાદીઓ અને રિવરફ્રન્ટ પર આવતા મુસાફરોમાં હર્ષોલ્લાસ છવાશે. બીજું કે, બોટિંગ સેવા શરૂ થતા જ સાબરમતી રિવરફ્રન્ટનો નજારો પણ અદભૂત લાગશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...