Friday, March 13, 2026

હનુમાન જયંતીને લઈને કેમ્પ હનુમાન મંદિર મોડી રાત સુધી મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય, 551 કિલોની કેક ધરવામાં આવી

spot_img
Share

અમદાવાદ : દેશભરના હનુમાન મંદિરોમાં આજે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના કેમ્પ હનુમાનજી મંદિરમાં પણ ઉજવણી કરવામાં આવી છે. હનુમાન જયંતી નિમિતે ભગવાનને 300 કિલો બુંદીની અને 251 કિલો માવાની કેક ધરાવવામાં આવી છે. ઉપરાંત કેમ્પ હનુમાન મંદિરમાં દિવસ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. 1 લાખથી વધુ ભક્તો આજે કેમ્પ હનુમાન મંદિરમાં દર્શન કરશે.

અમદાવાદના શાહીબાગમાં આવેલા કેમ્પ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સમૂહ સંધ્યા મહાઆરતી અને અન્નકૂટનું આયોજન કરાયું છે. કેમ્પ હનુમાન મંદિરમાં 300 કિલોની બુંદીની કેક બનાવવામાં આવી છે. આ ઉપરાંત 251 કિલો માવાની કેક પણ બનાવવામાં આવી છે. એટલે કુલ 551 કિલોની કેક તૈયાર કરવામાં આવી હતી. આ બુંદીની કેકને નવ ગ્રહનો આકાર આપવામાં આવ્યો છે. જે મંદિરમાં પ્રસાદી સ્વરૂપમાં ધરાવવામાં આવ્યો છે. હનુમાનજીના જન્મોત્સન નિમિત્તે કેમ્પ હનુમાન મંદિરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

શનિવાર અને હનુમાનજીનો જન્મોત્સવ પણ છે, જેને લઇને ભક્તોમાં આજના દિવસે હનુમાનજીના દર્શન કરવાનો બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હનુમાનજીના જન્મોત્સવન લઇને આજે કેમ્પ હનુમાનજીનું મંદિર સવારે 6 થી મોડી રાત સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ્પ હનુમાન ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે ભક્તોને હાલાકી ન પડે અને ભક્તો સારી રીતે ભગવાનના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કેમ્પ હનુમાન મંદિરમાં કરવામાં આવી છે.

જણાવી દઈએ કે દર વર્ષે જેમ પણ હનુમાન જયંતિના એક દિવસ પહેલા અમદાવાદના હનુમાન કેમ્પ મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાહીબાગ હનુમાન કેમ્પ મંદિરથી વાસણા ખાતે આવેલા વાયુ દેવતા મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.શહેરના વિવિધ રૂટો પર શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...