અમદાવાદ : દેશભરના હનુમાન મંદિરોમાં આજે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના કેમ્પ હનુમાનજી મંદિરમાં પણ ઉજવણી કરવામાં આવી છે. હનુમાન જયંતી નિમિતે ભગવાનને 300 કિલો બુંદીની અને 251 કિલો માવાની કેક ધરાવવામાં આવી છે. ઉપરાંત કેમ્પ હનુમાન મંદિરમાં દિવસ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. 1 લાખથી વધુ ભક્તો આજે કેમ્પ હનુમાન મંદિરમાં દર્શન કરશે.
અમદાવાદના શાહીબાગમાં આવેલા કેમ્પ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સમૂહ સંધ્યા મહાઆરતી અને અન્નકૂટનું આયોજન કરાયું છે. કેમ્પ હનુમાન મંદિરમાં 300 કિલોની બુંદીની કેક બનાવવામાં આવી છે. આ ઉપરાંત 251 કિલો માવાની કેક પણ બનાવવામાં આવી છે. એટલે કુલ 551 કિલોની કેક તૈયાર કરવામાં આવી હતી. આ બુંદીની કેકને નવ ગ્રહનો આકાર આપવામાં આવ્યો છે. જે મંદિરમાં પ્રસાદી સ્વરૂપમાં ધરાવવામાં આવ્યો છે. હનુમાનજીના જન્મોત્સન નિમિત્તે કેમ્પ હનુમાન મંદિરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
શનિવાર અને હનુમાનજીનો જન્મોત્સવ પણ છે, જેને લઇને ભક્તોમાં આજના દિવસે હનુમાનજીના દર્શન કરવાનો બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હનુમાનજીના જન્મોત્સવન લઇને આજે કેમ્પ હનુમાનજીનું મંદિર સવારે 6 થી મોડી રાત સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ્પ હનુમાન ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે ભક્તોને હાલાકી ન પડે અને ભક્તો સારી રીતે ભગવાનના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કેમ્પ હનુમાન મંદિરમાં કરવામાં આવી છે.
જણાવી દઈએ કે દર વર્ષે જેમ પણ હનુમાન જયંતિના એક દિવસ પહેલા અમદાવાદના હનુમાન કેમ્પ મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાહીબાગ હનુમાન કેમ્પ મંદિરથી વાસણા ખાતે આવેલા વાયુ દેવતા મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.શહેરના વિવિધ રૂટો પર શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.


