Friday, March 13, 2026

અમદાવાદમાં આગની ઘટનાઓ લઈને જિલ્લા શિક્ષણાધિકારી એક્શનમાં, શાળાઓને અપાઈ આ સૂચનાઓ

spot_img
Share

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસથી આગઝરતી ગરમીના કારણે શહેરમાં આગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. અને હાઈરાઈઝ્ડ બિલ્ડિંગોમાં લાગતી આગના કારણે લોકોના જીવ તાળવે ચોંટી જાય છે અને આવી બિલ્ડિંગોમાંથી નાના બાળકોને બચાવવાના ભયાવહ દૃશ્યો પણ સામે આવી રહ્યાં છે. ત્યારે આવી આગ અકસ્માતની ઘટનાઓને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી એક્શનમાં આવ્યા છે અને ફાયર NOC વગરની 10 જેટલી શાળાઓને નોટિસ ફટકારી છે. તેમજ આગ અકસ્માતની ઘટનાઓને ધ્યાને લઈને શાળાઓને વાયરિંગ ચેક કરી લેવા, શાળાઓમાં ચાલતી લેબોરેટરીમાં પણ સલામતીના પગલાં લેવા આદેશ કર્યો છે.

ઉનાળાની ઋતુમાં સમગ્ર રાજ્યની સાથે અમદાવાદ જિલ્લામાં અત્યંત ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ સહિત વિવિધ કારણોસર આગ લાગવાના બનાવો બનવાની સંભાવનાઓ વધી જાય છે. જેથી અગમચેતીના ભાગ રૂપે શાળાના તમામ વીજ ઉપકરણો તેમજ સંપૂર્ણ વાયરિંગની ચકાસણી કરી લેવા અને શોર્ટ સર્કિટનો કોઈ બનાવ ન બને તે માટે ચકાસણી કરી લેવા ડીઇઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં શોર્ટ સર્કિટ અટકાવવા માટે યોગ્ય વિદ્યુત પ્રણાલીની જાળવણી, સર્કિટ બ્રેકર અને ફ્યુઝનો ઉપયોગ, સારું ઇન્સ્યુલેશન અને ઓવરલોડિંગ સર્કિટ વગેરે બાબતોએ ચકાસણી કરીને જો કોઈપણ પ્રકારની ખામી જણાય તો તાત્કાલિક યોગ્ય તે રિપેરિંગ કરાવી લેવા જણાવાયું છે. શાળામાં ફાયર સેફ્ટી સાધનો ચાલુ હાલતમાં હોય, તેમજ તેની એક્સપાયરી તારીખની પણ ખાસ ચકાસણી કરવા જણાવાયું છે. શાળાની કોઈપણ પ્રકારની બેદરકારીને લઈને કોઈપણ અનિચ્છનીય બનાવ બનશે તો નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શહેરમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે અને અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી કૃપા ઝા દ્વારા તમામ શાળાઓનું વાયરિંગ ચકાસી લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...