Tuesday, February 17, 2026

‘સૂઓમોટો’ કાર્યવાહી : રજીસ્ટ્રેશન વિના જ બુકિંગ શરૂ કરી દેતા બિલ્ડરો પર ‘ગુજરેરા’ની તવાઈ ઉતરશે

spot_img
Share

અમદાવાદ : ગુજરેરાએ નવા પ્રોજેકટનું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના જ બુકીંગ શરૂ કરી દેનારા બિલ્ડર સામે સુઓમોટો કાર્યવાહી શરૂ કરી હતી. રિપોર્ટ મુજબ, ગાંધીનગર ખાતેનાં એક પ્રોજેકટમાં બિલ્ડરે રેરા રજીસ્ટ્રેશન મેળવ્યા વિના જ બુકીંગ શરૂ કરીને ગ્રાહકો પાસેથી એક લાખ રૂપિયા ટોકન પેટે મેળવ્યા હોવાની ગુજરેરાને ફરીયાદ મળી હતી.

જોકે આ કેસમાં બિલ્ડરે ફરીયાદીને નાણાં પરત કરી દેતા તેની ફરિયાદનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો.પરંતુ સમગ્ર પ્રકરણમાં સુઓમોટો કાર્યવાહી શરૂ કરી હતી. રેરા કાયદાની કલમ 3નો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. રજીસ્ટ્રેશન કરાવ્યા વિના જ પ્રોજેકટનો પ્રચાર તથા બુકીંગ કરવા બદલ એકશન શરૂ કરાયા હતા.

બિલ્ડર સામે કલમ 59 હેઠળ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુત્રોના કહેવા પ્રમાણે રજીસ્ટ્રેશન વિના જ બુકીંગ શરૂ કરી દેવાની પ્રવૃતિ વ્યાપક છે. તેના આધારે રેરાની ટીમો હવે ફીલ્ડમાં ઉતરશે.સામાન્ય લોકોની જેમ ઈન્કવાયરી કરીને ગેરરીતિ પકડશે. આ માટે દરેક ઝોનવાઈઝ ટીમ બનાવવાની તૈયારી કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન વિના જ બુકીંગ-પ્રચાર શરૂ કરી દેનારા બિલ્ડરો પર તવાઈ ઉતારવામાં આવશે.

રેરા કાયદામાં પ્રોજેકટનું રજીસ્ટ્રેશન કરાયા બાદ જ તેનો પ્રચાર શરૂ કરવાની જોગવાઈ છે.સંખ્યાબંધ કિસ્સામાં પ્રચાર સાહિત્યમાં રેરા રજીસ્ટ્રેશન નંબર દર્શાવાતો નથી તેનું રજીસ્ટ્રેશન થયુ ન હોવાની શંકા રહે છે.

ગુજરેરા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શકતા અપનાવવા કટીબદ્ધ છે. ગ્રાહકોનું હિત સર્વોપરી છે. આ માટે હવે ઝોનવાઈઝ ટીમોની રચના કરીને પ્રોજેકટોની રૂબરૂ મુલાકાત સાથે નિયમભંગ કરનારા બિલ્ડરો સામે કાર્યવાહી કરવાનો એકશનપ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રાજયનાં કોર્પોરેશન ધરાવતા શહેરોથી માંડીને નગરપાલિકા સ્તરના શહેરો સુધી આ કાર્યવાહી કરાશે.

કાયદા-નિયમોનો ભંગ કરવા બદલ બિલ્ડરો પર પ્રોજેકટ ખર્ચનાં 10 ટકાની પેનલ્ટીની જોગવાઈ છે. પ્રચાર સાહિત્યમાં રેરા રજીસ્ટ્રેશન દર્શાવવાનું ફરજીયાત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...