Saturday, February 7, 2026

અમદાવાદમાં વધુ એક નજરાણું : રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે 7 હજાર ચોમીમાં ટ્રોપિકલ ફોરેસ્ટ બનાવાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નગરજનોને સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે. મ્યુનિ. સિંગાપોરની તર્જ પર 22 કરોડના ખર્ચે ટ્રોપિકલ ફોરેસ્ટ બનાવશે. ટ્રોપિકલ ફોરેસ્ટમાં એક વિશાળ ડોમમાં કૃત્રિમ વાતાવરણમાં આખું જંગલ ઊભું કરી, વાદળમાંથી વરસાદ થતો હોવાનું, ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળશે. નાગરિકોને જમીનથી કેટલાક ફૂટ ઉપર બનાવેલા વોકવે પર ચાલવાનો અનુભવ મળશે. ટ્રોપિકલ ગાર્ડન હાલ સિંગાપોર-લંડનમાં છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ટ્રોપિકલ ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે આકર્ષણ રૂપ ગ્લો ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક સહિત અનેક ગાર્ડન ઉપરાંત વધુ એક ટ્રોપિકલ ફોરેસ્ટ કૃત્રિમ વાતાવરણમાં ઊભું કરાશે. અતિ ભેજવાળા વાતાવરણમાં ઉછરતાં વૃક્ષ કે છોડ અહીં ઉછેરાશે. આ ટ્રોપિકલ ગાર્ડનને ક્લાઉડ ફોરેસ્ટ પણ કહે છે.ટ્રોપિકલ ફોરેસ્ટમાં ઉછેરાનારા તમામ છોડ કે વૃક્ષોને આર્ટિફિશિયલ લાઇટિંગની ગરમી આપી ઉછેરાશે. અહીં તમામ છોડને ઉછેરવા પાણી પૂરું પાડવાથી માંડી તમામ બાબતો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાશે.

રિવરફ્રન્ટના પશ્ચિમ તરફ આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પાસે આ‌વેલી 7000 ચો.મી. જગામાં આ ટ્રોપિકલ ફોરેસ્ટ બનશે. જેમાં 1600 ચો.મી.માં આ ડોમ બનશે, જેમાં હેલિકોનિક્સ, એલોકેયસિય પસ્લ, ઓર્ચિડ્સ સહિતના વૃક્ષો હશે. મોટાભાગના વૃક્ષ અને છોડને કૃત્રિમ લાઈટિંગથી ગરમી આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...