Sunday, February 8, 2026

અમદાવાદના રાણીપ સહિત આ વિસ્તારોમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે, નવા પાર્ટી પ્લોટની પણ મંજૂરી

spot_img
Share

અમદાવાદ : શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા વિસ્તાર અને લોકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સ્ટેશન અને પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. દર 10 કિલોમીટર વિસ્તારમાં એક ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. રાણીપ, લાંભા, શાહીબાગ, રામોલ- હાથીજણ અને સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. પાંચ ફાયર સ્ટેશન બનાવવામાં આવનાર છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં ત્રાગડ રોડ પર 2.50 કરોડના ખર્ચે નવો પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ગોતા અને ત્રાગડમાં નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી પૂરી થવાની તૈયારીમાં છે. પાંચકુવા અને દાણાપીઠ ફાયર સ્ટેશનના રીનોવશન- નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. ચાલુ વર્ષે શહેરમાં 54 કરોડના ખર્ચે નવા પાંચ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરાયું છે. ફાયરમેનના ઇન્ટરવ્યુ પૂરા થતાં હવે ટુંક સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. શહેરમાં હાલમાં કુલ 19 ફાયર સ્ટેશનોમાં 515 સ્ટાફ કાર્યરત છે. આશરે 1.50 કરોડના ખર્ચે વટવા જીઆઇડીસી ફાયર સ્ટેશનનું આયોજન છે. બીજા 100 કરોડના ખર્ચે નવા ફાયરના વાહન સહિત અન્ય વાહનોની ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે. નવા સાધનોની સાથે ભવિષ્યમાં ફાયરના સ્ટેશનો ઊભા થતાં સ્ટાફની પણ ભરતી કરવામાં આવશે.

ચાંદખેડામાં ત્રાગડ રોડ પર 2.59 કરોડના ખર્ચે નવો પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. ત્રાગડ રોડ પર TP- 69માં 5585 ચોરસ મીટરના ખુલ્લા પ્લોટમાં ઓપન પાર્ટી પ્લોટ બનાવવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. આ ઓપન પાર્ટી પ્લોટમાં 76 ટુ વ્હીલર અને 27 કાર પાર્કિંગની સુવિધા હશે. ઓપન પાર્ટી પ્લોટમાં 1500 વ્યક્તિની કેપિસિટી હશે તેમજ પાર્ટી લોન, સ્ટેજ, એન્ટરન્સ ફોયર, બાઈડ એન્ડ સૂમ રૂમ, એન્ટરન્સ પ્લાઝા વીથ સ્ટેચ્યુ, કિચન એરિયા અને વોટર એરિયા જેવી સુવિધા હશે. હાલ શહેરમાં 90 જેટલા કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને ઓડિટોરિયમ આવેલા છે. જેમ AMCના હસ્તકમાં હાલમાં 34 પાર્ટી પ્લોટ, 2 ઓપન એર થિયેટર, 42 કોમ્યુનિટી હોલ અને 7 ઓડિટોરિયમ આવેલા છે. લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગ માટે પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલ ભાડેથી આપવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...