Friday, February 13, 2026

અમદાવાદમાં સરસપુરમાં રણછોડરાયજીનું મંદિરનું થશે નવીનીકરણ, જગન્નાથની 148 રથયાત્રા નીકળશે, ભવ્ય મામેરું કરાશે

spot_img
Share

અમદાવાદ : દર વર્ષે ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જુએ છે અને આ વર્ષે ભગવાન જગન્નાથની 148 રથયાત્રા નીકળવાની છે. અમદાવાદ શહેરમાં આ રથયાત્રા 29 જૂન, અષાઢી બીજના દિવસે જગન્નાથ મંદિરથી શરૂ થશે. સરસપુર રણછોડરાયજી સ્થિત ભગવાન જગન્નાથના મંદિરનો આ વર્ષે પુનર્વિકાસ કરવામાં આવશે. આનાથી મંદિરે આવતા ભક્તોને મોટી રાહત મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે અમદાવાદના રણછોડરાય મંદિરનો પુનઃવિકાસ કરવામાં આવશે. રણછોડરાય મંદિર એક ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે, જે ખૂબ જ નાનું હતું, જેના કારણે ભક્તોને દર્શન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેના કારણે સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત આ વર્ષે મંદિરનું વિસ્તરણ 12 ફૂટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મોસાળ રણછોડરાય સ્થિત જગન્નાથજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

અમદાવાદ શહેરમા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે 29 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. જેની માટે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર અને ભગવાનના મોસાળ સરસપુર મંદિરમા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમા આ વર્ષે સરસપુર ખાતે ભગવાનના મોસાળમાં મામેરાના યજમાન તરીકે વાસણા વિસ્તારમાં રહેતા જાગૃતિબેન મનીષ ત્રિવેદીને લાભ મળ્યો છે.

મામેરાનો લાભ મળતા યજમાન મનીષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષથી રાહ જોતા હતા. તેથી સારામાં સારું મામેરું કરીશું એવી ભાવના છે. તેમજ આ વર્ષે અમે અલગ રીતે જ મામેરાનું આયોજન કરીશું. અમારા ત્યાં કથા હતી અને રામજીની પોથીમાં અમને સમાચાર મળ્યા કે મામેરાના ડ્રોમાં અમારું નામ ખુલ્યું છે. આ ઉપરાંત ત્રિવેદી પરિવારની મહિલાઓએ નક્કી કર્યું આ વર્ષે ક્યારેક કોઈએ ના કર્યું હોય તેવું હટકે મામેરું કરવામા આવશે.

અમે મામેરાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મનીષ ત્રિવેદીના પત્ની જાગૃતિ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભગવાનનું મામેરુ કરવાનો અમને ખૂબ જ હરખ છે. અમે સોના ચાંદીના દાગીના વાઘા અલગ થીમ પ્રમાણેનું મામેરું કરીશું. મામેરાના વસ્ત્ર, આભૂષણ સહિતની વસ્તુઓ લોકો દર્શન કરી શકે તેના માટે ચાર દિવસનો કાર્યક્રમ પણ અમારા વાસણા ખાતે આવેલા ઘરે રાખવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...