Friday, January 16, 2026

અમદાવાદમાં વાહન ચાલકો માટે રાહતના સમાચાર, 400 ટ્રાફિક જંક્શનો AIથી સજ્જ થશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે. હવે આવી સ્થિતિનું નિવારણ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. મ્યુનિસિપલનો આ નિર્ણય વાહન ચાલકોમાં એક રાહતના સમાચાર લઈ આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલે નિર્ણય લીધો છે કે, અમદાવાદમાં ટ્રાફિક જંક્શનો ઉપર વધતા જતા ટ્રાફિકના જંક્શનને ઘટાડવા 400 AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નવી સિસ્ટમ મુજબ, જ્યારે વાહન પસાર થતાં અટકશે, ત્યારે તરત જ ગ્રીન લાઇટ રેડ લાઇટમાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ પાછળ અંદાજિત 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી શકે છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું છે કે, મ્યુનિસિપલ દ્વારા હવે નવી ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમમાં વાહન ડિટેકશન સેન્સર લાગેલા હશે. જેના થકી કોમ્યુનિકેશન નેટવર્ક, ઇન્ટેલિજન્સ અને કનેક્ટેડ સિસ્ટમ તેમજ ટ્રાફિકની પરિસ્થિતિને લઈને શું અપડેટ છે તે અંગેનું સેન્ટ્રલ સર્વર પણ આ સોફ્ટવેરમાં જોવા મળશે. આના માટે મ્યુનિસિપલ એક કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરશે.

ટ્રાફિક સિગ્નલ દરમિયાન ના ફક્ત લાઇટ ગ્રીન કે રેડ દેખાશે પણ આખો થાંભલો જ ગ્રીન કે રેડ દેખાશે. આ સિસ્ટમ થકી વ્યક્તિને દૂરથી જ ખબર પડી જાય કે, ટ્રાફિકની સ્થિતિ શું છે. જણાવી દઈએ કે, શહેરમાં અત્યારે લગભગ 250 જેટલા ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલને લગતી લાઇટ લગાવવામાં આવી છે. જો કે, હવે મ્યુનિસિપલ દ્વારા 400 સ્થળે અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, બેંગ્લુરુ, સુરત અને વડોદરામાં કેટલાક સિગ્નલો એવા છે કે જે અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમથી સજેલા છે. આનાથી ટ્રાફિકના નિયમો ભંગ કરનારાઓને સરળતાથી દંડ ફટકારવામાં આવશે. તદુપરાંત, ઍમ્બ્યુલન્સ અથવા તો ઇમર્જન્સી વાહનોને પણ ગ્રીન કોરિડોર આપવામાં આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...