Sunday, March 15, 2026

અમદાવાદમાં કાર સીધી પાર્લરમાં ઘૂસતા ભયાનક અકસ્માત સર્જાયો, ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એક અકસ્માતનો ગંભીર બનાવ સામે આવ્યો છે. બાપુનગરમાં બેકાબૂ કાર ડ્રાઇવરને કારણે મોટી જાનહાની સર્જાતા રહી ગઈ હતી. કારચાલકે રસ્તા પર ચાલતા ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. કાર ડ્રાઇવરે તેની કારને પાર્લરમાં ઘુસાડી દીધી હતી. આ અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ અંગે ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોધવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ વિકાસ એસ્ટેટની સામે સકસ્માતની ઘટના બની હતી. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ઘુમાવતા ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતા. જે બાદ કાર નજીકના પાન પાર્લરમાં ઘૂસી હતી. આ ઘટનામાં એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માત બાદ ડ્રાઈવર ભાગીને બાજુના ઘરમાં સંતાઈ ગયો હતો.

બીજી તરફ ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઈને સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જેમાં જે પણ ઈજાગ્રસ્ત વ્યક્તિઓ હતા ત્યાં સ્થળ પર તેમના પર પહેલા લોકોનું ધ્યાન ગયું અને તેમની મદદ માટે દોડીને તેઓ પહોંચ્યા હતા. ઘટનાને લઈને લોકોના જીવ અધ્ધર આવી ગયા હતા. સાથે જ કાર ડ્રાઇવરની સામે લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

પોલીસને જાણ કરતા તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરતા કારમાલિકનું નામ ધનશ્યામભાઇ મોઢેરા હોવાનું સામે આવ્યું. તેણે તેમના મિત્ર પિયુષ રાઠોડને કાર આપી હતી. જ્યારે પિયુષે તેના સાળાના પુત્ર 20 વર્ષીય રાહુલ પરમારને કાર ચલાવવા આપી હતી. તે કાર લઇને જતો હતો અને અકસ્માત કર્યો હતો. આ અંગે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધવાની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...