Friday, January 23, 2026

ગુજરાત સહિત 5 રાજ્યોના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા લગાવ્યો પ્રતિબંધ !!!

spot_img
Share

અમદાવાદ : ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોતા હજારો વિદ્યાર્થીઓને ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાએ યુપી અને બિહાર સહિત દેશના પાંચ રાજ્યોના વિદ્યાર્થીઓ માટે સ્ટડી વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમજ તેમના પર વિઝા દસ્તાવેજોમાં છેતરપિંડી કરવાનો અથવા તો વિઝાનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત એવો પણ આરોપ છે કે આ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં સ્ટડી વિઝા પર ફુલ ટાઈમ કામ કરી રહ્યા છે. યુપી અને બિહાર ઉપરાંત, જે રાજ્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં પંજાબ, હરિયાણા અને ગુજરાતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બે વર્ષ પહેલાં પણ ઓસ્ટ્રેલિયાએ આ પાંચ રાજ્યો પર પ્રતિબંધ લાદ્યો હતો, જો કે, પછીથી તેમાં છૂટછાટ આપવામાં આવી હતી.

અમેરિકા અને કેનેડામાં વિઝા પ્રતિબંધોને કારણે, મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા તરફ વળી રહ્યા હતા. હકીકતમાં, અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના વિઝા અસ્વીકારનું પ્રમાણ વધીને 24 ટકા થયું છે, જે છેલ્લા દાયકામાં સૌથી વધુ છે. કેનેડામાં પણ આવી જ પરિસ્થિતિ છે. આવી સ્થિતિમાં, ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાની આશા રાખતા હતા, પરંતુ હવે તેમને ત્યાંથી પણ મોટો આંચકો લાગ્યો છે. એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન રિપ્રેઝન્ટેટિવ્સ ઇન ઇન્ડિયા (AAERI) એ ભારતના મિત્ર દેશોમાંના એક ઓસ્ટ્રેલિયાના આ પગલાને ખોટું ગણાવ્યું છે અને કહ્યું છે કે જો ઓસ્ટ્રેલિયાએ આ કરવું જ પડે, તો કેસ-બાય-કેસ આધારે મૂલ્યાંકન કરવું જોઈએ.

બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે વિઝા પર પ્રતિબંધ મૂકવા માટે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવેલ તર્ક એ છે કે આ રાજ્યોના વિદ્યાર્થીઓ પૂર્ણ-સમય અભ્યાસ માટે દેશમાં આવે છે, પરંતુ અહીં તેઓ વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ લે છે, કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરતા નથી અને ફક્ત અહીં કામ કરવા માટે વિઝા લે છે. આનાથી યુનિવર્સિટીઓની વિઝા મંજૂરી પર નકારાત્મક અસર પડી રહી છે. તેમની પ્રતિષ્ઠાને પણ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાઓની નાણાકીય સ્થિતિ પણ કથળી રહી છે.

ઓસ્ટ્રેલિયાની ઘણી સંસ્થાઓ, જેમાં વિક્ટોરિયા યુનિવર્સિટી, વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, વોલોંગોંગ યુનિવર્સિટી, ટોરેન્સ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે, તેમણે આ પાંચ રાજ્યોના વિદ્યાર્થીઓ માટે અરજી પ્રક્રિયા બંધ કરી દીધી છે અથવા તેના પર કડક નિયંત્રણો લાદ્યા છે. આ પહેલા પણ એડિથ કોવાન યુનિવર્સિટીએ ફેબ્રુઆરી 2023માં પંજાબ અને હરિયાણાના વિદ્યાર્થીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો. વિક્ટોરિયા યુનિવર્સિટીએ યુપી, રાજસ્થાન અને ગુજરાત સહિત ભારતના આઠ રાજ્યોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ નિર્ણય પાછળ, ઓસ્ટ્રેલિયન સરકારે સ્પષ્ટતા કરી છે કે તે કોઈપણ દેશના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધો લાદતી નથી. આ યુનિવર્સિટીઓનો નિર્ણય છે; તેમને પોતાના જોખમ વ્યવસ્થાપનના આધારે આવા નિર્ણયો લેવાની સ્વતંત્રતા છે. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલે અગાઉ વિદ્યાર્થીઓને સ્થળાંતર એજન્ટોના પ્રભાવ હેઠળ ખોટી માહિતી સાથે અરજી ફોર્મ ભરવા સામે ચેતવણી આપી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...