Tuesday, February 10, 2026

અમદાવાદમાં AMTS બસ ઊભી રહે તે પહેલા ચાલુ બસે ઉતરવા જતાં વિદ્યાર્થિની પટકાતા ગંભીર

spot_img
Share

અમદાવાદ: શહેરમાંથી આજે વધુ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. શહેરના વિજયનગર ચાર રસ્તા પાસે એક વિદ્યાર્થિની ચાલુ બસમાંથી ઉતરવા જતા નીચે પડી ગઈ હતી. આ વિદ્યાર્થિની પડી જવાને કારણે તેને ગંભીર ઈજા પહોંચી છે. હાલ તેને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મંગળવારે સવારે એક AMTS બસ મુસાફરોને લઈને ગોપાલ ચોકથી ઇસ્કોન તરફ જઈ રહી હતી. દરમિયાન AMTS બસમાંથી વિદ્યાર્થિની ચાલુ બસમાંથી ઉતરવા જતા રસ્તા પર રોડ પર પટકાઈ હતી. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પડી જવાના કારણે વિદ્યાર્થિનીને નાક અને કાનમાંથી લોહી નીકળતા 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જેમાં આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે. આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ગંભીર હોવાની માહિતી મળી રહી છે. નોંધનીય છે કે, આ બસ ગોપાલ ચોકથી ઇસ્કોન તરફ જઈ રહી હતી.

આ બનાવની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. અને AMTS ના બસચાલક તેમજ કંડકટરનું નિવેદન લેવામાં આવ્યું છે. અને વિદ્યાર્થિનીનું નિવેદન પણ લેવામાં આવશે લોકોમાં ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે, આ વિદ્યાર્થિની પડી નથી તેણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ વિદ્યાર્થિની ચાલુ બસમાંથી કઈ રીતે પડી તે તો તપાસ દરમિયાન જ ખ્યાલ આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...