Tuesday, January 13, 2026

પહેલગામમાં આતંકી હુમલાના પડઘા ગુજરાતમાં, અમદાવાદ સહિત રાજ્યમાં ઉગ્ર વિરોધ, સર્જીકલ-સ્ટ્રાઈક કરવાની ઉઠી માગ

spot_img
Share

અમદાવાદ: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો દેશભરમાં ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આતંકી હુમલામાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. જો કે હાલમાં સ્થિતિ કંટ્રોલમાં છે અને સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી છે અને આતંકીઓને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુને પગલે રાજ્યના વિવિધ શહેરોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં વિએચપી અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં પાલડી ચાર રસ્તા ખાતે એકઠા થયા હતા અને આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે જાતિ અને ધર્મ પૂછીને આતંકીઓએ પહલગામમાં પ્રવાસી પર હુમલો કર્યા બાદ દેશભરમાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં પણ હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શહેરના ત્રિકોણ બાગ ખાતે VHP અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ VHP પ્રમુખ અશોક રાવલે જણાવ્યું હતું કે પહેલગામના આ હુમલામાં 26 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કેન્દ્ર સરકારને આતંકવાદીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે મુસ્લિમ સમાજના લોકોને પણ આગળ આવી આતંકવાદની નિંદા કરવા અપીલ કરી હતી.

વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદે આતંકવાદનું પુતળું બાળીને વિરોધ નોંધાવામાં આવ્યો છે. હુમલાનો બદલો લેવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ કરી છે. પોસ્ટર્સ બેનર્સ સાથે વીએચપી કાર્યકરોએ આતંકી હુમલાને લઇ વિરોધ નોંધાવ્યો છે.આ હુમલો ઇસ્લામિક આતંકવાદનો પુરાવો હોવાનું VHP દ્રારા કહેવામાં આવ્યું છે.

વલસાડમાં પણ પહેલગામના હુમલાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શ્રીરામ સેવા સમિતિ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો અને બેનરો સાથે આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિદ્યાનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ આ હુમલાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાળ્યું હતું અને ત્યારબાદ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદીઓના પોસ્ટર અને પૂતળાનું દહન કર્યું હતું.

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલોને લઇ સુરતના ઇચ્છાપોર ગામના લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. આતંકીના પૂતળા દહન કરવામાં આવ્યા મોટી સંખ્યામાં ગામજનો વિરોધ નોંધાવ્યો છે. આતંકીઓને તેમની ભાષામાં જવાબ આપવા માટે સરકારને માંગ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....