Wednesday, April 29, 2026

પહેલગામમાં આતંકી હુમલાના પડઘા ગુજરાતમાં, અમદાવાદ સહિત રાજ્યમાં ઉગ્ર વિરોધ, સર્જીકલ-સ્ટ્રાઈક કરવાની ઉઠી માગ

spot_img
Share

અમદાવાદ: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો દેશભરમાં ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આતંકી હુમલામાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. જો કે હાલમાં સ્થિતિ કંટ્રોલમાં છે અને સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી છે અને આતંકીઓને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુને પગલે રાજ્યના વિવિધ શહેરોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં વિએચપી અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં પાલડી ચાર રસ્તા ખાતે એકઠા થયા હતા અને આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે જાતિ અને ધર્મ પૂછીને આતંકીઓએ પહલગામમાં પ્રવાસી પર હુમલો કર્યા બાદ દેશભરમાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં પણ હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શહેરના ત્રિકોણ બાગ ખાતે VHP અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ VHP પ્રમુખ અશોક રાવલે જણાવ્યું હતું કે પહેલગામના આ હુમલામાં 26 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કેન્દ્ર સરકારને આતંકવાદીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે મુસ્લિમ સમાજના લોકોને પણ આગળ આવી આતંકવાદની નિંદા કરવા અપીલ કરી હતી.

વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદે આતંકવાદનું પુતળું બાળીને વિરોધ નોંધાવામાં આવ્યો છે. હુમલાનો બદલો લેવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ કરી છે. પોસ્ટર્સ બેનર્સ સાથે વીએચપી કાર્યકરોએ આતંકી હુમલાને લઇ વિરોધ નોંધાવ્યો છે.આ હુમલો ઇસ્લામિક આતંકવાદનો પુરાવો હોવાનું VHP દ્રારા કહેવામાં આવ્યું છે.

વલસાડમાં પણ પહેલગામના હુમલાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શ્રીરામ સેવા સમિતિ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો અને બેનરો સાથે આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિદ્યાનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ આ હુમલાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાળ્યું હતું અને ત્યારબાદ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદીઓના પોસ્ટર અને પૂતળાનું દહન કર્યું હતું.

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલોને લઇ સુરતના ઇચ્છાપોર ગામના લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. આતંકીના પૂતળા દહન કરવામાં આવ્યા મોટી સંખ્યામાં ગામજનો વિરોધ નોંધાવ્યો છે. આતંકીઓને તેમની ભાષામાં જવાબ આપવા માટે સરકારને માંગ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...