Thursday, January 22, 2026

નારણપુરા-ઘાટલોડીયામાં આતંકી હુમલાના મૃતકોને VHP-બજરંગદળની પુષ્પાંજલિ, જય શ્રીરામના નારા લાગ્યા

spot_img
Share

અમદાવાદ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો દેશભરમાં ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આતંકી હુમલામાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. ત્યારે અમદાવાદમાં સોસાયટીઓ, સંગઠનો અને નાગરિકો દ્વારા ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ સહિત કેન્ડલ માર્ચના કાર્યક્રમ થઇ રહ્યા છે ત્યારે અમદાવાદના નારણપુરા-ઘાટલોડીયામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ સહિતના સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શહેરના નારણપુરા વિસ્તારમાં અંકુર ચાર રસ્તા પાસે બજરંગ દળ દ્વારા મૃતકોના ફોટા સાથે બેનર લગાવી તેના પર ફૂલહાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.નારણપુરા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જીતુ ભગત સહિત નારણપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના કોર્પોરેટરો અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.લોકોને અપીલ કરવામાં આવી હતી કે, મુસ્લિમ સમાજના લોકોની દુકાનમાંથી કોઈએ ચીજ વસ્તુ ખરીદવી નહીં માત્ર હિન્દુની જ દુકાનમાંથી ચીજ વસ્તુ ખરીદવી.

શહેરના ઘાટલોડિયાના પ્રભાત ચોક ખાતે મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ, આ કાર્યક્રમમાં ઘાટલોડિયા વિસ્તારના પ્રભાત ચોકના દરેક વેપારી જોડાયા હતા અને જાહેર જનતા પણ જોડાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન બજરંગ દળના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલાં નાપાક પાકિસ્તાનના આતંકવાદીઓએ હિન્દુઓને ધર્મ પૂછીને ટાર્ગેટ કરીને બર્બરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી.વેપારીઓને એવા સંદેશ આપ્યા છે કે, હિન્દુઓ પાસેથી ખરીદી કરો. તમારી આસપાસ કોઈ વિધર્મીની દુકાન આવે તો બજરંગ દળને જાણ કરો અને જાગવું પડશે.

અમદાવાદના રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજના યુવકો, આગેવાનો અને મહિલાઓ દ્વારા પહલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રધાંજલિ પણ અપાઈ હતી. રાજપૂત સમાજના સભ્યોએ કેન્ડલ પ્રગટાવી મૃતકોના આત્માને શાંતિ અને તેમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરાઈ હતી.રાજપૂત યુવકોએ જણાવ્યું હતું કે, રાજપૂત સમાજે મુગલો સામે હંમેશા મજબૂતાઈથી લડીને મુગલોને સબક શીખવાડ્યો હતો. તે જ રીતે ભારત પાકિસ્તાનને સબક શીખવે. રાજપૂત યુવકોને પાકિસ્તાન બોર્ડર પર મોકલવાની રજૂઆત પણ કરાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...