Wednesday, April 29, 2026

ચંડોળા તળાવનું કરાશે બ્યુટિફિકેશન, બે ફેઝમાં કરાશે કાયાપલટ, ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યા બાદ નિર્ણય !!

spot_img
Share

અમદાવાદ : શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં તળાવની આસપાસ અને અંદરના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 3000 ગેરકાયદેસર બાંધકામો, જેમાં ઘરો, દુકાનો અને અન્ય બાંધકામોનો સમાવેશ થાય છે, તેને તોડી પાડવામાં આવશે. આ કાર્યવાહી 1 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારને આવરી લે છે.બે ફેઝમાં કરાશે કાયાપલટ

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરનું આ તળાવ ઐતિહાસિક છે. સાથે જ ચંડોળા શહેરનું સૌથી મોટું તળાવ છે.ચંડોળા તળાવના આ ડિમોલિશન કામગીરી બ્યુટિફિકેશનના ભાગરૂપે કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં, તળાવના બ્યુટિફિકેશન માટે વધુ કામગીરી કરવામાં આવશે. આ કાર્યવાહી શહેરના પર્યાવરણ અને તળાવના જળ સ્તરમાં સુધારો કરવા માટે કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આ કામગીરી દરમિયાન પ્રભાવિત થયેલા લોકોને યોગ્ય રીતે પુનર્વસન કરવામાં આવશે.

આ ડિમોલિશન કામગીરીમાં 3000 થી વધુ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે, જેમાં ઘરો, દુકાનો અને અન્ય બાંધકામોનો સમાવેશ થાય છે. આ કામગીરી લગભગ 1 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારને ખુલ્લો કરવામાં આવશે. આ કામગીરી રાજ્ય સરકારના સૂચના પર કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. કાર્યવાહીમાં તળાવમાં બનેલા ગેરકાયદેસર બાંધકામોને સૌથી પહેલા તોડી પાડવામાં આવી રહ્યા છે.

જેવી રીતે શહેરનું કાંકરિયા તળાવ અમદાવાદની શાન છે તે તજ ઉપર આ તળાવને ડેવપલ કરવામાં આવશે. આ કાર્યવાહી પછી તળાવના બ્યુટિફિકેશન માટે કાર્યવાહી શરૂ થશે. આમાં તળાવની આસપાસ ગાર્ડન બનાવવા, પાણીને શુદ્ધ કરવા માટેની વ્યવસ્થા કરવા, અને તળાવના સૌંદર્યને વધારવા માટે અન્ય કાર્યો શામેલ હશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ચંડોળા તળાવ પહેલા કરતાં વધુ સુંદર અને સ્વચ્છ દેખાશે અને તે શહેરના નાગરિકો માટે એક આકર્ષક સ્થળ બનશે. સરકાર ખાતરી આપી રહી છે કે પ્રભાવિત લોકોને યોગ્ય પુનર્વસન મળશે. આ ડિમોલિશન કાર્ય શહેરના પર્યાવરણ અને નાગરિકોના જીવનમાં સુધારો લાવશે.

અમદાવાદ શહેરમાં આવેલા ચંડોળા તળાવમાં થઈ રહેલા મેગા ડિમોલિશન કાર્ય એક મહત્વપૂર્ણ પગલું છે. આ કામગીરી તળાવના પર્યાવરણને સુધારવા અને તેના મૂળ સ્વરૂપને પાછું લાવવા માટે કરવામાં આવી રહી છે. ઘણા વર્ષોથી ચંડોળા તળાવ ગેરકાયદેસર બાંધકામો બાંધવામાં આવેલા હતા, જેના કારણે તળાવનું પાણી પ્રદૂષિત થયું હતું અને તેની આસપાસનું પર્યાવરણ ખરાબ થયું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...