36.6 C
Gujarat
Wednesday, May 21, 2025

ચંડોળા તળાવનું કરાશે બ્યુટિફિકેશન, બે ફેઝમાં કરાશે કાયાપલટ, ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યા બાદ નિર્ણય !!

Share

અમદાવાદ : શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં તળાવની આસપાસ અને અંદરના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 3000 ગેરકાયદેસર બાંધકામો, જેમાં ઘરો, દુકાનો અને અન્ય બાંધકામોનો સમાવેશ થાય છે, તેને તોડી પાડવામાં આવશે. આ કાર્યવાહી 1 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારને આવરી લે છે.બે ફેઝમાં કરાશે કાયાપલટ

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરનું આ તળાવ ઐતિહાસિક છે. સાથે જ ચંડોળા શહેરનું સૌથી મોટું તળાવ છે.ચંડોળા તળાવના આ ડિમોલિશન કામગીરી બ્યુટિફિકેશનના ભાગરૂપે કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં, તળાવના બ્યુટિફિકેશન માટે વધુ કામગીરી કરવામાં આવશે. આ કાર્યવાહી શહેરના પર્યાવરણ અને તળાવના જળ સ્તરમાં સુધારો કરવા માટે કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આ કામગીરી દરમિયાન પ્રભાવિત થયેલા લોકોને યોગ્ય રીતે પુનર્વસન કરવામાં આવશે.

આ ડિમોલિશન કામગીરીમાં 3000 થી વધુ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે, જેમાં ઘરો, દુકાનો અને અન્ય બાંધકામોનો સમાવેશ થાય છે. આ કામગીરી લગભગ 1 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારને ખુલ્લો કરવામાં આવશે. આ કામગીરી રાજ્ય સરકારના સૂચના પર કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. કાર્યવાહીમાં તળાવમાં બનેલા ગેરકાયદેસર બાંધકામોને સૌથી પહેલા તોડી પાડવામાં આવી રહ્યા છે.

જેવી રીતે શહેરનું કાંકરિયા તળાવ અમદાવાદની શાન છે તે તજ ઉપર આ તળાવને ડેવપલ કરવામાં આવશે. આ કાર્યવાહી પછી તળાવના બ્યુટિફિકેશન માટે કાર્યવાહી શરૂ થશે. આમાં તળાવની આસપાસ ગાર્ડન બનાવવા, પાણીને શુદ્ધ કરવા માટેની વ્યવસ્થા કરવા, અને તળાવના સૌંદર્યને વધારવા માટે અન્ય કાર્યો શામેલ હશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ચંડોળા તળાવ પહેલા કરતાં વધુ સુંદર અને સ્વચ્છ દેખાશે અને તે શહેરના નાગરિકો માટે એક આકર્ષક સ્થળ બનશે. સરકાર ખાતરી આપી રહી છે કે પ્રભાવિત લોકોને યોગ્ય પુનર્વસન મળશે. આ ડિમોલિશન કાર્ય શહેરના પર્યાવરણ અને નાગરિકોના જીવનમાં સુધારો લાવશે.

અમદાવાદ શહેરમાં આવેલા ચંડોળા તળાવમાં થઈ રહેલા મેગા ડિમોલિશન કાર્ય એક મહત્વપૂર્ણ પગલું છે. આ કામગીરી તળાવના પર્યાવરણને સુધારવા અને તેના મૂળ સ્વરૂપને પાછું લાવવા માટે કરવામાં આવી રહી છે. ઘણા વર્ષોથી ચંડોળા તળાવ ગેરકાયદેસર બાંધકામો બાંધવામાં આવેલા હતા, જેના કારણે તળાવનું પાણી પ્રદૂષિત થયું હતું અને તેની આસપાસનું પર્યાવરણ ખરાબ થયું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles