Wednesday, January 21, 2026

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહની નિમણુંક, કાર્યકર્તાઓમાં ઉત્સાહ

spot_img
Share

અમદાવાદ : પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યમાં વિવિધ શહેરોના પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ભાજપ દ્વારા બાકી રહેલા શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, પોરબંદર અને પંચમહાલ ભાજપના જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષપદે રસિક પ્રજાપતિના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહની નિમણુંક કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે નવનિયુક્ત પ્રેરક શાહની વાત કરીએ તો ગુજરાત પ્રદેશના સહપ્રવક્તા આર્થિક સેલના પ્રદેશ સંયોજક, ભાજપના ફેમસ મીડિયા એક્સપર્ટ, ફાઇનાન્સિયલ એક્સપર્ટ અને પ્રખર વિદ્વાન વક્તા તરીકે ગણના થાય છે. કેન્દ્ર સરકારનું બજેટ હોય કે રાજ્ય સરકારનું બજેટ ભાજપ તરફથી ફાઇનાન્સિયલ એક્સપર્ટ પ્રેરક શાહ વિરોધીઓને આંકડાકીય માહિતી સાથે અભ્યાસું તરીકે પોતાની વાત રજુ કરવામાં જાણીતા છે.

આ ઉપરાંત ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષની પણ જાહેરાત કરવામાં આવી છે. આશિષ દવેની ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી.આશિષ દવે GUDAના ચેરમેન રહી ચુક્યા છે. આશિષ દવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા.પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડૉ. ચેતનાબેન તિવારી (રૂપારેલ)ની નિમણૂંક કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે નયનાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે.પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયંક દેસાઇની વરણી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...