અમદાવાદ: અમદાવાદ શહેરમાં કાલુપુર રેલવે સ્ટેશનને તોડી તે જગ્યા ઉપર નવુ અદ્યત્તન રેલવે સ્ટેશન અને સંલગ્ન બ્રીજ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહેલ છે. આ કામકાજ અંતર્ગત રેલ્વે સ્ટેશનની સામેના રોડ ઉપર બનાવવામાં આવેલ પીલ્લર નં. P24 TO P27 ના વચ્ચેના ભાગે એલીવેટેડ રોડના નિર્માણ માટે ગર્ડર લોન્ચીંગ તથા અન્ય કામગીરી ક્રેઈન તથા અન્ય મશીનરી સાથે કરવામાં આવનાર છે. આ કામગીરી તા.01/05/2025 થી તા.31/08/2025 સુધી 3 મહિના સુધી 24.00 કલાકના સમયગાળા દરમિયાન કરવામાં આવનાર છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક), અમદાવાદ શહેર, એ તોડી પાડવામાં આવેલ કાલુપુર રેલ્વે સ્ટેશનની જગ્યા પર નવા આધુનિક રેલ્વે સ્ટેશન અને સંલગ્ન બ્રિજના નિર્માણને કારણે ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.
રેલ્વે સ્ટેશનની સામેના રોડ પર સ્થિત પિલર નંબર P24 અને P27 વચ્ચેના વિભાગમાં એલિવેટેડ રોડ માટે ગર્ડર લોંચિંગ અને અન્ય બાંધકામ પ્રવૃત્તિઓનો સમાવેશ કરે છે. આ કામ માટે ક્રેન્સ સહિતની ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે, જે 1 મે, 2025 થી 31 ઓગસ્ટ, 2025 સુધી દરરોજ 24 કલાક ચાલુ રહેવાનું છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
રેલવે સ્ટેશનની સામેના રોડ ઉપર આવેલ પીલ્લર નં. P24 TO P27 ના વચ્ચેનો આશરે 40 મીટર જેટલો રોડ બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ
સાળંગપુર સર્કલ તરફથી આવતો વાહન વ્યવહાર સીધે સીધા રેવડી બજાર થઈ બી.બી.સી. માર્કેટ થઈ રીડ હોટલ તરફથી વણાંક લઈ કાલુપુર ઈનગેટ તરફ તેમજ કાલુપુર સર્કલ તરફ જઈ શકશે. તેમજ કાલુપુર સર્કલ તરફથી આવતો વાહન વ્યવહાર કે જે કાલુપુર રેલ્વે સ્ટેશનની સામે આવેલ એક તરફનો રોડ ચાલું છે તે માર્ગ થઈ સાળંગપુર તરફ જઈ શકશે.