Monday, January 19, 2026

ભારતનાં ઓપરેશન ‘સિંદૂર’થી હચમચ્યું પાકિસ્તાન, માત્ર 33 મિનિટમાં 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો

spot_img
Share

અમદાવાદ: કાશ્મીરના પહેલગામમાં એપ્રિલ 22ના રોજ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા ત્રણ ગુજરાતીઓ સહિતના 26 નિર્દોષ પર્યટકોની હત્યા કરાયા બાદ ભારતે પાકિસ્તાનના નવ લોકેશન્સ પર હુમલો કર્યો છે. ઓપરેશન સિંદૂર હેઠળ મે 07ના રોજ વહેલી સવારે મિસાઈલ સ્ટ્રાઈકથી જૈશ-એ-મહોમ્મદ અને લશ્કર-એ-તોઈબા જેવા આતંકવાદી સંગઠનોના હેડક્વાર્ટર ઉપરાંત અન્ય આતંકી ઠેકાણાંને ભારતીય સૈન્ય દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં પાકિસ્તાનના પંજાબમાં આવેલા બહવાલપુર સ્થિત JeMના હેડક્વાર્ટર અને LeTના મુરિદકેમાં આવેલાં ઠેકાણાંનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારતીય વાયુસેનાએ મંગળવારે મધ્યરાત્રિ પછી પાકિસ્તાન અને PoK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની અંદર એરસ્ટ્રાઈક કરી. ભારતે માત્ર 33 મિનિટમાં જ ‘ઓપરેશન સિંદૂર’ને પાર પાડ્યું.આ હુમલામાં 7 શહેરોમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.

જોકે, ભારતે આ મામલે એવું નિવેદન આપ્યું છે કે તેણે માત્ર આતંકી ઠેકાણાંને જ ટાર્ગેટ બનાવ્યા છે અને પાકિસ્તાની મિલિટરી ફેસિલિટીઝને તેમાંથી બાકાત રાખવામાં આવી છે.પાકિસ્તાની સૈન્યના પ્રવક્તાએ પણ ભારત દ્વારા કરવામાં આવેલા હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ભારતીય એરફોર્સ દ્વારા આ અટેક કરાયા છે.

ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના 15 દિવસ પછી કરવામાં આવી હતી અને તેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું. આ નામ એ મહિલાઓને સમર્પિત છે જેમના પતિઓ 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...