Wednesday, October 15, 2025

અમદાવાદીઓમાં ખુશીનો માહોલ, ‘ઓપરેશન સિંદૂર’ એર સ્ટ્રાઇકની સેનાની કામગીરીને બિરદાવી

Share

અમદાવાદ : પહેલાગામમાં આંતકીઓ કરેલા હુમલાનો જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ શરુ કર્યું છે. જેમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર થયેલી એરસ્ટ્રાઇક અનેક આતંકીઓને ઠાર કરી દીધા છે. ભારતીય સેનાની બહાદુરીને દેશવાસીઓ બિરદાવી રહ્યા છે. ત્યારે અમદાવાદીઓમાં ખુબજ ખુશીનો માહોલ છે.લોકો સેનાની કામગીરીને બિરદાવી રહ્યા છે.અને માની રહ્યા છે કે ભારતે પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા લોકોને સાચી શ્રદ્ધાંજલી આપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં ખાડીયા-રાયપુર વિસ્તારમાં લોકો તિરંગા સાથે રોડ પર આવીને સેનાની કામગીરી બિરદાવી હતી. ભારતીય સેનાએ જે ઓપરેશન પાર પાડ્યું છે તેને આવકાર્યુ છે..ખાડીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટે કહ્યું કે વડાપ્રધાન મોદીએ જે રીતે આતંકીઓને પાઠ ભણાવ્યો છે તે ખુબજ પ્રશંસનીય છે. આ ઉપરાંત ઉપસ્થિત સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓને સપોર્ટ કરતો દેશ છે તેને પાઠ ભણાવવો જ જોઇએ અને ભારતે આ જ રીતે આતંકીઓ પર હુમલા ચાલુ રાખવા જોઇએ.

અમદાવાદના લોકોએ કહ્યું કે પાકિસ્તાનને હવે એ વાતનો ખ્યાલ આવી ગયો હશે કે ભારતમાં જે સરકાર બેઠી છે તે નમાલી સરકાર નથી.આ ઉપરાંત અમદાવાદની જનતાએ એમ પણ કહ્યું કે અમને આશા હતી જ કે વડાપ્રધાન મોદી આવી જ કોઇ કાર્યવાહી કરશે. સાથે સાથે કેટલાક લોકોએ આ સાથે એવો પણ મત વ્યક્ત કર્યો કે આ ઉત્તમ સમય છે કે ભારતે પીઓકે પર કબ્જો કરી લેવો જોઇએ.

ભારતે પહેલગામ હુમલાનો એવો જવાબ આપ્યો છે કે દરેક ભારતીયની છાતી ગર્વથી ફુલી ગઇ છે..દરેક ભારતીયને એ વાતનો ગર્વ છે કે ભારતે પહેલગામના આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે..અને વિશ્વભરમાં એ વાતનો સંદેશ ગયો છે કે ભારત આતંકવાદને સાંખી નહીં લે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...