Sunday, September 14, 2025

અમદાવાદીઓમાં ખુશીનો માહોલ, ‘ઓપરેશન સિંદૂર’ એર સ્ટ્રાઇકની સેનાની કામગીરીને બિરદાવી

Share

Share

અમદાવાદ : પહેલાગામમાં આંતકીઓ કરેલા હુમલાનો જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ શરુ કર્યું છે. જેમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર થયેલી એરસ્ટ્રાઇક અનેક આતંકીઓને ઠાર કરી દીધા છે. ભારતીય સેનાની બહાદુરીને દેશવાસીઓ બિરદાવી રહ્યા છે. ત્યારે અમદાવાદીઓમાં ખુબજ ખુશીનો માહોલ છે.લોકો સેનાની કામગીરીને બિરદાવી રહ્યા છે.અને માની રહ્યા છે કે ભારતે પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા લોકોને સાચી શ્રદ્ધાંજલી આપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં ખાડીયા-રાયપુર વિસ્તારમાં લોકો તિરંગા સાથે રોડ પર આવીને સેનાની કામગીરી બિરદાવી હતી. ભારતીય સેનાએ જે ઓપરેશન પાર પાડ્યું છે તેને આવકાર્યુ છે..ખાડીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટે કહ્યું કે વડાપ્રધાન મોદીએ જે રીતે આતંકીઓને પાઠ ભણાવ્યો છે તે ખુબજ પ્રશંસનીય છે. આ ઉપરાંત ઉપસ્થિત સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓને સપોર્ટ કરતો દેશ છે તેને પાઠ ભણાવવો જ જોઇએ અને ભારતે આ જ રીતે આતંકીઓ પર હુમલા ચાલુ રાખવા જોઇએ.

અમદાવાદના લોકોએ કહ્યું કે પાકિસ્તાનને હવે એ વાતનો ખ્યાલ આવી ગયો હશે કે ભારતમાં જે સરકાર બેઠી છે તે નમાલી સરકાર નથી.આ ઉપરાંત અમદાવાદની જનતાએ એમ પણ કહ્યું કે અમને આશા હતી જ કે વડાપ્રધાન મોદી આવી જ કોઇ કાર્યવાહી કરશે. સાથે સાથે કેટલાક લોકોએ આ સાથે એવો પણ મત વ્યક્ત કર્યો કે આ ઉત્તમ સમય છે કે ભારતે પીઓકે પર કબ્જો કરી લેવો જોઇએ.

ભારતે પહેલગામ હુમલાનો એવો જવાબ આપ્યો છે કે દરેક ભારતીયની છાતી ગર્વથી ફુલી ગઇ છે..દરેક ભારતીયને એ વાતનો ગર્વ છે કે ભારતે પહેલગામના આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે..અને વિશ્વભરમાં એ વાતનો સંદેશ ગયો છે કે ભારત આતંકવાદને સાંખી નહીં લે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...