36.6 C
Gujarat
Wednesday, May 21, 2025

અમદાવાદીઓમાં ખુશીનો માહોલ, ‘ઓપરેશન સિંદૂર’ એર સ્ટ્રાઇકની સેનાની કામગીરીને બિરદાવી

Share

અમદાવાદ : પહેલાગામમાં આંતકીઓ કરેલા હુમલાનો જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ શરુ કર્યું છે. જેમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર થયેલી એરસ્ટ્રાઇક અનેક આતંકીઓને ઠાર કરી દીધા છે. ભારતીય સેનાની બહાદુરીને દેશવાસીઓ બિરદાવી રહ્યા છે. ત્યારે અમદાવાદીઓમાં ખુબજ ખુશીનો માહોલ છે.લોકો સેનાની કામગીરીને બિરદાવી રહ્યા છે.અને માની રહ્યા છે કે ભારતે પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા લોકોને સાચી શ્રદ્ધાંજલી આપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં ખાડીયા-રાયપુર વિસ્તારમાં લોકો તિરંગા સાથે રોડ પર આવીને સેનાની કામગીરી બિરદાવી હતી. ભારતીય સેનાએ જે ઓપરેશન પાર પાડ્યું છે તેને આવકાર્યુ છે..ખાડીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટે કહ્યું કે વડાપ્રધાન મોદીએ જે રીતે આતંકીઓને પાઠ ભણાવ્યો છે તે ખુબજ પ્રશંસનીય છે. આ ઉપરાંત ઉપસ્થિત સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓને સપોર્ટ કરતો દેશ છે તેને પાઠ ભણાવવો જ જોઇએ અને ભારતે આ જ રીતે આતંકીઓ પર હુમલા ચાલુ રાખવા જોઇએ.

અમદાવાદના લોકોએ કહ્યું કે પાકિસ્તાનને હવે એ વાતનો ખ્યાલ આવી ગયો હશે કે ભારતમાં જે સરકાર બેઠી છે તે નમાલી સરકાર નથી.આ ઉપરાંત અમદાવાદની જનતાએ એમ પણ કહ્યું કે અમને આશા હતી જ કે વડાપ્રધાન મોદી આવી જ કોઇ કાર્યવાહી કરશે. સાથે સાથે કેટલાક લોકોએ આ સાથે એવો પણ મત વ્યક્ત કર્યો કે આ ઉત્તમ સમય છે કે ભારતે પીઓકે પર કબ્જો કરી લેવો જોઇએ.

ભારતે પહેલગામ હુમલાનો એવો જવાબ આપ્યો છે કે દરેક ભારતીયની છાતી ગર્વથી ફુલી ગઇ છે..દરેક ભારતીયને એ વાતનો ગર્વ છે કે ભારતે પહેલગામના આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે..અને વિશ્વભરમાં એ વાતનો સંદેશ ગયો છે કે ભારત આતંકવાદને સાંખી નહીં લે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles