Saturday, January 24, 2026

નવા વાડજમાં તિરંગા યાત્રાનું આયોજન, ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી

spot_img
Share

અમદાવાદ : ઓપરેશન સિંદૂરની સફળતા પછી ભારતીય જનતા પાર્ટી મંગળવારથી દેશભરમાં 11 દિવસની ‘તિરંગા યાત્રા’ શરૂ કરશે. ભારતીય જનતા પાર્ટી 13 મે થી 23 મે દરમિયાન દેશભરમાં `તિરંગા યાત્રા` કાઢવા જઈ રહી છે. આ 10 દિવસના રાષ્ટ્રવ્યાપી પ્રવાસનો ઉદ્દેશ્ય તાજેતરમાં સફળ થયેલા ઑપરેશન સિંદૂરની સિદ્ધિઓને દરેક નાગરિક સુધી પહોંચાડવાનો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારતીય જનતા પાર્ટી 13 મે થી 23 મે દરમિયાન દેશભરમાં `તિરંગા યાત્રા` કાઢવા જઈ રહી છે, જેનો પ્રારંભ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે 13મી મેએ અમદાવાદ શહેરમાં વિવિધ સંસ્થાઓના સંકલનથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સાંજે પાંચ વાગ્યે વાડજથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. આ તિરંગા યાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે. વાડજથી રાણીપ મેટ્રો સ્ટેશન થઈ સુભાષચંદ્ર બોઝ સર્કલ ખાતે તિરંગા યાત્રાનું સમાપન થશે. આ તિરંગા યાત્રામાં વિવિધ સંસ્થાઓ સાથે બીજેપીના નેતાઓ અને ધારાસભ્યો, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાશે.

આ અભિયાન દ્વારા, ભાજપ જનતાને જણાવશે કે કેવી રીતે ભારતે ઑપરેશન સિંદૂર દ્વારા તેના નાગરિકોને સંકટમાંથી બચાવ્યા અને રાષ્ટ્રીય આત્મસન્માનને મજબૂત બનાવ્યું. ભાજપનો ઉદ્દેશ્ય ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓને દરેક નાગરિક સુધી પહોંચાડવાનો છે.

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓ દ્વારા ઘણા નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ 7 મેના રોજ આતંકવાદીઓના ઠેકાણાઓ સામે જવાબી કાર્યવાહી કરી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...