Wednesday, January 21, 2026

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન : નારણપુરામાં મહિલા કાર ચાલકે બાઇકને અડફેટે લીધી, એક યુવાનનું મોત

spot_img
Share

અમદાવાદ: શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના નારણપુરાના અંજલી ક્રોસ રોડ પાસે મહિલા કાર ચાલકે બાઈક પર સવાર બે યુવાનોને અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યુ છે જ્યારે અન્ય યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ બંન્ને યુવાન ગીરસોમનાથના વતની હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત કરીને મહિલા કાર ચાલક ફરાર થઈ ગઈ હતી. હાલ સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. કારના નંબર પરથી તેના માલિક સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ,મંગળવારે મોડી રાત્રે નારણપુરા અંજલી ક્રોસ રોડ પાસે ઉપરથી એક સફેદ રંગની ક્રેટા કારનો નંબર GJ01 WF 8540 પૂરઝડપે પસાર થઈ રહી હતી. ગાડી ચાર રસ્તા ઉપર આવતાની સાથે જ ગાડીએ સામેથી બાઈક ઉપર આવી રહેલા બે યુવકોને અડફેટે લીધા હતા. જોકે ગાડીની સ્પીડ એટલી બધી હતી કે બાઈક ગાડીની અંદર જ ઘૂસી ગયું હતું અને બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા .108ની ટીમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા બેમાંથી એક યુવક મૃત્યુ પામ્યો હતો. જ્યારે અન્ય એક ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

અક્સ્માત બાદ મહિલા કાર છોડીને ફરાર થઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે, આ બંને યુવાનો મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની હોવાનું સામે આવ્યુ છે. ગીર સોમનાથના આર્યન બારડ અને બ્રિજેશ ડોડીયા બાઇક પર સવાર હતા.

થોડા સમય પહેલા પણ અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બાપુનગરમાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં નિકોલના રહેવાસી નિવૃત્ત વિક્રમસિંહ ઝાલા (ઉં.વ. 64) વહેલી સવારે પોતાના નિયમિત સમયે ચાલવા માટે બહાર નીકળ્યા હતા. બાપુનગર ખાતે આવેલા BRTS એપ્રોચ રોડની રેલિંગમાં વિક્રમસિંહ ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે તેમને એક પૂર ઝડપે આવેલાં મોટરસાઇકલ ચાલકે ટક્કર મારી હતી. આ ઘટનામાં વિક્રમસિંહ નીચે પટકાયા હતા, એટલાં નજીકના લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...