Thursday, January 15, 2026

અમદાવાદની જીન્સની ફેક્ટરીમાં મોટો બનાવ, સિવેજ ટાંકામાં ઉતરેલા 3 યુવકના કમકમાટીભર્યા મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની દાણીલીમડા વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં જીન્સ બનાવતી કંપનીમાં કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકના મોત નિપજ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના દાણીલીમડા ખોડિયાર નગરની જીન્સ બનાવતી કંપનીમાં ચોંકાવનારો બનાવ બન્યો હતો. કંપનીમા જિન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઉતારેલ ત્રણ યુવક પૈકી સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર, પ્રકાશ પરમારના કરુણ મોત નિપજ્યા છે. ત્રણે યુવકોના મૃતદેહ ટાંકી મા રાતભર અંદર રહ્યા હોવાની વાત પરિજનોઓ કરી રહ્યાં છે. ત્રણેય યુવકના પરિજનોને આ વિશેની જાણ થતા જ મણિનગરની એલજી હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસનો કાફલો પણ હોસ્પિટલ ખાતે પરિસ્થિતિનો તાગ મેળવી હોસ્પિટલમા ખડકાયો છે.ત્રણેય યુવકો 25 થી 30 વર્ષની વયના હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. એમકે ક્રિએશન કંપનીના સંચાલક અને કંપનીના માલિક સામે ફરિયાદ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. બંનેને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણેય યુવકો સવારે ઘરેથી નીકળી કામ કરવા ગયા હતા. યુવકો અલગ કામ કરતા હતા. જોકે આજે મજૂરી મળે માટે ટાંકી સાફ કરવા ગયા. સુનિલ ટાંકી સાફ કરવા ઉતર્યો હતો, જે અંદર પડતા બાદમાં પ્રકાશ અંદર પડ્યો હતો. તેમને બંનેને બચાવવા વિશાલ ટાંકામાં પડ્યો હતો. ત્રણેય મૃતક યુવકના પરિવારે ન્યાય અને વળતર માટે માંગ કરી છે. કંપનીએ સેફટીના સાધનો ન આપતા બનાવ બન્યાના પરિજનોના આક્ષેપ છે. કંપનીની ભૂલના કારણે બનાવ બન્યા તેવું પરિજનોએ કહ્યું.

મૃતક સુનિલ રાઠવાના પરિવારમાં સુનિલ અને તેની માતા જ છે. તેના પિતાનું 5 મહિના પહેલા મોત થયું હતું. સુનિલ ઘરનો એકનો એક સહારો હતો, જે કુદરતે છીનવી લીધો છે. જ્યારે વિશાલના ઘરમાં માતા પિતા અને મોટો ભાઈ છે. વિશાલની ગઈ કાલે પહેલી મેરેજ એનિવર્સરી હતી અને આજે બનાવ બન્યો. પ્રકાશના ઘરમાં માતા અને ભાઈ અને બહેન છે. જ્યારે પિતાનું 15 વર્ષ પહેલાં મોત નિપજ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...