Friday, January 23, 2026

અમદાવાદમાં આ બ્રિજના સમારકામને પગલે આ રસ્તાઓને વન-વે જાહેર કરાયા; જાણો વિગતો

spot_img
Share

અમદાવાદ: સાળંગપુર બ્રિજનું સમારકામ આગામી 30મી જૂન 2026 સુધી ચાલનાર હોવાથી અને આ બ્રિજ વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હોવાથી, તેના કારણે કાંકરિયા અણુવ્રત સર્કલ, પારસી અગીયારી અને વાણિજ્ય ભવન સર્કલ પર ટ્રાફિકનું ભારે ભારણ જોવા મળી રહ્યું છે. આ ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત આ વિસ્તારના કેટલાક માર્ગોને વન-વે જાહેર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, લખનઉ જલેબી ત્રણ રસ્તાથી કાંકરિયા ગેટ નં.3 થી અણુવ્રત સર્કલ સુધીનો આશરે 800 મીટરનો રસ્તો વન-વે જાહેર કરવામાં આવ્યો છે. જેના જેનો વૈકલ્પિક માર્ગ તરીકે ફૂટબોલ ગ્રાઉન્ડ તરફથી આવતો ટ્રાફિક કાંકરિયા ગેટ નં.૩ થી ડાબી બાજુ વળી લખનઉ જલેબી ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી વાણિજ્ય ભવન સર્કલથી ડાબી બાજુ વળી કાલુપુર તરફ તેમજ જમણી બાજુ વળી અણુવ્રત સર્કલ થઇ અનુપમ બ્રિજ ખોખરા, મણીનગર તરફ જઈ શકશે. તેમજ મજૂરગામ તરફથી આવતો ટ્રાફિક પારસી અગિયારીથી ડાબી બાજુ વળી લખનઉ જલેબી ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી વાણિજ્ય ભવન સર્કલથી જમણી બાજુ વળી અણુવ્રત સર્કલ થઈ અનુપમ બ્રિજ ખોખરા, મણીનગર તેમજ કાંકરિયા ગેટ નં.3 ઇક્કા કક્લબ અરેના સ્ટેડીયમ તરફ જઈ શકશે. તે ઉપરાંત રાયપુર તરફથી આવતો ટ્રાફિક લખનઉ જલેબી ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી વાણિજ્ય ભવન સર્કલથી જમણી બાજુ વળી અણુવ્રત સર્કલ થઈ અનુપમ બ્રિજ ખોખરા, મણીનગર તેમજ કાંકરિયા ગેટ નં.3 ઇક્કા ક્લબ અરેના સ્ટેડીયમ તથા ફૂટબોલ ગ્રાઉન્ડ તરફ જઈ શકશે.

તે ઉપરાંત અણુવ્રત સર્કલથી વાણિજ્ય ભવન ચાર રસ્તાથી ડાબી બાજુ વળી લખનઉ જલેબી ત્રણ રસ્તા સુધીનો આશરે 600 મીટરનો રસ્તો વન-વે જાહેર કરવામાં આવ્યો છે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે ખોખરા અનુપમ બ્રિજ તેમજ મણીનગર તરફથી આવતો ટ્રાફિક અણુવ્રત સર્કલ થી ડાબી બાજુ વળી કાંકરિયા ગેટ નં.3 થી જમણી બાજુ વળી રાયપુર ચાર રસ્તાથી કાલુપુર તરફ જઈ શકશે. તેમજ કાલુપુર તથા ન્યુ-ક્લોથ માર્કેટ તરફથી આવતો ટ્રાફિક વાણિજ્ય ભવન સર્કલ થઇ અણુવ્રત સર્કલ થઇ જમણી બાજુ વળી કાંકરિયા ગેટ નં.3 થી ફૂટબોલ ગ્રાઉન્ડ થી ભુલાભાઈ તેમજ મજૂરગામ તરફ જઈ શકશે.

ઉલ્લેખનીય છે કે આ જાહેરનામાનો અમલ 18 મે રાત્રે 12 વાગ્યાથી કરવામાં આવશે. પોલીસ કમિશનરના હુકમનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...