Tuesday, January 20, 2026

PM નરેન્દ્ર મોદી ગુજરાતના બનશે મહેમાન, જાણો કયા કાર્યક્રમમાં આપશે હાજરી

spot_img
Share

અમદાવાદ : 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલો અને 7 મેના રોજ ઓપરેશન સિંદૂર પછી PM નરેન્દ્ર મોદી 26 મેના રોજ ગુજરાત આવે તેવી શક્યતા છે. PM મોદી કચ્છના ભૂજની મુલાકાત લે તેવી અપેક્ષા છે અને ત્યારબાદ લોકોમોટિવ રોલિંગ સ્ટોક વર્કશોપનું ઉદ્ઘાટન કરવા દાહોદ જશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારત-પાકિસ્તાન યુદ્ધ અને ઓપરેશન સિંદૂર બાદ PM નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. PM નરેન્દ્ર મોદી 26-27 મે દરમિયાન બે દિવસ ગુજરાતના મહેમાન બનશે. 26 મેની રાત્રે PM અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર જશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે.27 મેના રોજ PM કચ્છ, દાહોદ અને ગાંધીનગરમાં ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે.

કચ્છના ભુજમાં મીરજાપર રોડ પર જાહેર સભા અને માતાના મઢ આશાપુરા મંદિરના દર્શનનો કાર્યક્રમ નિશ્ચિત છે. આ મુલાકાતને લઈને સ્થાનિક તંત્ર એક્શનમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CM નિવાસસ્થાને બેઠક યોજી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકર અને અન્ય અધિકારીઓએ આયોજનને આખરી ઓપ આપ્યો.

આ મુલાકાત પહેલાં ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાત મુલાકાતે આવી ગયા. તેમણે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમૂર્હુત કર્યું અને સાણંદમાં તિરંગા યાત્રામાં ભાગ લઈ ભારતીય જવાનોના શૌર્યને બિરદાવ્યું. ઓપરેશન સિંદૂર, જે 7 મે, 2025ના રોજ પહલગામ આતંકી હુમલાના જવાબમાં શરૂ થયું, તેની સફળતા બાદ ગુજરાતમાં ઉત્સાહ છે. PMની આ મુલાકાત રાજ્યના વિકાસ અને રાષ્ટ્રીય ગૌરવને વેગ આપશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...