અમદાવાદ : ભારતીય રેલવેમાં દિવસભર હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતાં હોય છે. આ દરમિયાન હવે રેલવે દ્વારા ટૂંક સમયમાં એક મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. વાસ્તવમાં હવે આગામી દિવસોમાં કન્ફર્મ ટિકિટ વગર રેલ્વે સ્ટેશન પર નો-એન્ટ્રી હશે. આ સાથે કન્ફર્મ ટિકિટ હશે તો જ રેલ્વે સ્ટેશન પર મુસાફરને એન્ટ્રી મળશે તેવો નિર્ણય રેલવે કરી શકે છે. આ અંતર્ગત વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવે બોર્ડને દરખાસ્ત મોકલાઈ છે. મહત્વનું છે કે, હાલ રેલવે સ્ટેશન પર કોઈપણ વ્યક્તિ દાખલ થઈ શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવે બોર્ડને દરખાસ્ત મોકલાઈ છે. જેમાં મુંબઈ-ગુજરાતનાં 12 સ્ટેશનોમાં ટિકિટ વગર પ્રવેશની મનાઈ થશે.જેમાં ગુજરાતના અમદાવાદના કાલુપુર, અસારવા, સાબરમતી, વડોદરા, સુરત, વાપી, ઉધના સહિતના રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. આ સિવાય યાદીમાં સામેલ મુંબઈનાં સ્ટેશનોમાં બોરીવલી, અંધેરી અને બાંદરા ટર્મિનસનો 1 સમાવેશ થાય છે. આમાંથી બોરીવલી અને બાંદરા ટર્મિનસથી ગુજરાત આવતી 1 જતી ટ્રેનો થોભે છે. બીજી તરફ અંધેરી મુંબઈનું વેસ્ટર્ન લાઈનનું લોકલ ટ્રેનોનું 1 મહત્વનું મથક છે.
કન્ફર્મ ટિકિટ વિના મુંબઈ-ગુજરાતનાં 12 સ્ટેશનોએ પ્રવેશની મનાઈ ફરમાવાશે. જી હા…રેલવે સ્ટેશનોએ હાલ કોઈપણ વ્યક્તિ સરળતાથી દાખલ થઈ શકે છે તેને બદલે હવે મહત્વનાં રેલવે સ્ટેશનો પર પણ મેટ્રો પરપણ જેવી એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ અસ્તિત્વમાં આવશે. મતલબ કે પ્રવાસીની ટિકિટ સ્કેન થયા બાદ જ તેને રેલવે સ્ટેશનમાં એન્ટ્રી મળશે. આવી સિસ્ટમ લાગુ કરવા માટે વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવે બોર્ડને દરખાસ્ત મોકલાઈ છે.
હાલ સંખ્યાબંધ રેલવે સ્ટેશનોએ ભાગદોડના બનાવો બને ત્યારે રેલવે કેટલાક દિવસો માટે મોટાં સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટસનું વેચાણ અટકાવી દે છે. જોકે, ભવિષ્યમાં મોટાં સ્ટેશનો પર કન્ફર્મ ટિકિટ હોય તેમને જ સ્ટેશનમાં એન્ટ્રીની સિસ્ટમ આવી ગયા બાદ આવા કામચલાઉ પ્રતિબંધો લાદવાની જરુર પણ નહિ રહે.


