Saturday, March 14, 2026

અમદાવાદમાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનામાં બેના મોત, એકને ઈજા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. શનિવારે (27 મે) શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ બની હતી, અમદાવાદ રિવરફ્રન્ટ ઇસ્ટ પર બે યુવક બાઇક પર જઈ રહ્યાં હતાં,. આ સમયે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ડિવાઈડર અને લાઈટના થાંભલા સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલકને માથામાં ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય યુવકને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો છે. બીજા બનાવમાં APMC પાસે ડમ્પરે ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના કાંકરિયામાં રહેતો અલ્પેશ મઢવી તેમના મિત્ર પ્રકાશ પરમાર સાથે બાઈક પર રિવરફ્રન્ટ ઇસ્ટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. સવારે લગભગ 8થી 8:30 વચ્ચે સરદારબ્રિજ નજીક પહોંચ્યા અચાનક બાઈક પરથી કંટ્રોલ ગુમાવતા બાઈક ડિવાઇડર અને લાઈટના થાંભલા સાથે અથડાયુ હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, અલ્પેશના માથામાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેસેલા પ્રકાશ પરમારને સામાન્ય ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ ઘટના અંગે આગળની તપાસ શરૂ કરી છે.

જયારે બીજી ઘટનામાં વેજલપુરમાં રહેતો 18 વર્ષીય હમઝા અન્સારી નામનો યુવક APMC ચાર રસ્તા પરથી ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને જઈ રહ્યો હતો, ત્યારે એક ડમ્પરે હમઝાને ટક્કર મારી હતી. હમઝાને ટક્કર વાગતા શરીરના ભાગે ઈજા થઈ હતી, જેથી સારવાર માટે 108 દ્વાર સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હમઝાનું સારવાર દરમિયાન મોત થયું છે. બનાવ અંગે M ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...