Wednesday, March 11, 2026

અમદાવાદમાં AMC હવે પેટ ડોગના માલિકોને ડોગ બિહેવિયરનું માર્ગદર્શન આપશે, કુલ 12,083 ડોગનું રજિસ્ટ્રેશન

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસિડેન્સીમાં એક પાલતું રોટવીલર ડોગે રાત્રિના 9:00 વાગ્યાથી 9:30 વાગ્યા દરમિયાન 4 માસની બાળકી પર હુમલો કરી દેતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં લેબ્રાડોર, જર્મન શેફર્ડ, રોટવીલર, સુત્ઝી વગેરે જેવા મધ્યમ અને હાઈ બ્રીડ પેટ ડોગના માલિકો માટે ડોગના વર્તન, ટેવ, સારસંભાળ, મેડિકલ ચેકઅપ અને વેક્સિનેશન સહિત અંગેની જાણકારી આપવા માટે ઓનલાઈન વેબિનાર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં હાથીજણ વિસ્તારની ઘટનામાં પકડાયેલા શ્વાનનું કોર્પોરેશન દ્વારા મેડિકલ પરીક્ષણ અને બિહેવિયર અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં એક બાબત સામે આવી છે કે ડોગ ઓનર પાસે જરૂરી ડોગ બીહેવીયર નું જ્ઞાન ન હતું. શ્વાનને જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવતી નહોતી. આ બાબતને જોતા દરેક ડોગ ઓનરને આ પ્રકારની તાલીમ આપવામાં આવશે. તો આ સાથે મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં નવી પોલીસી પણ તૈયાર કરવામાં આવશે. પોલીસીમાં કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં ડોગ ઓનરને ડોગ બિહેવિયર અંગે જરૂરી જ્ઞાન હોવું જરૂરી, સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવું પડશે, શ્વાન રાખવા માટે જરૂરી જગ્યા હોવી જોઈએ, શ્વાનને કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચાડે તેની તકેદારી રાખવી પડશે. આ મુદ્દાઓ ઉપરાંત વિવિધ મુદ્દાઓને સમાવેશ કરીને આગામી દિવસોમાં ડોગ ઓનર્સ માટે કોર્પોરેશન દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પેટ ડોગના માલિકો પોતાના ડોગના વર્તનથી લઈને તેની યોગ્ય રીતે સારસંભાળ અને તેમની પ્રકૃતિ અંગે માહિતગાર ન હોવાના કારણે પેટ ડોગ દ્વારા હુમલાની ઘટના બનતી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે હવે પેટ ડોગના માલિકોને ડોગ ટ્રેનર અને બિહેવિયર એક્સપર્ટ મારફતે જાણકારી આપવામાં આવશે.

પેટ ડોગ રજીસ્ટ્રેશન નહીં કરાવનાર માલિકને આપવામાં નોટિસ આવશે. નોટિસ આપ્યા બાદ પણ રજીસ્ટ્રેશન નહીં થાય તો કાયદાકીય પગલા ભરવામાં આવશે. ડોગ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 31 મે છે. 31 તારીખ બાદ રજીસ્ટ્રેશનના ચાર્જીસમાં વધારો કરવામાં આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...