Thursday, January 22, 2026

અમદાવાદમાં AMC હવે પેટ ડોગના માલિકોને ડોગ બિહેવિયરનું માર્ગદર્શન આપશે, કુલ 12,083 ડોગનું રજિસ્ટ્રેશન

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસિડેન્સીમાં એક પાલતું રોટવીલર ડોગે રાત્રિના 9:00 વાગ્યાથી 9:30 વાગ્યા દરમિયાન 4 માસની બાળકી પર હુમલો કરી દેતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં લેબ્રાડોર, જર્મન શેફર્ડ, રોટવીલર, સુત્ઝી વગેરે જેવા મધ્યમ અને હાઈ બ્રીડ પેટ ડોગના માલિકો માટે ડોગના વર્તન, ટેવ, સારસંભાળ, મેડિકલ ચેકઅપ અને વેક્સિનેશન સહિત અંગેની જાણકારી આપવા માટે ઓનલાઈન વેબિનાર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં હાથીજણ વિસ્તારની ઘટનામાં પકડાયેલા શ્વાનનું કોર્પોરેશન દ્વારા મેડિકલ પરીક્ષણ અને બિહેવિયર અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં એક બાબત સામે આવી છે કે ડોગ ઓનર પાસે જરૂરી ડોગ બીહેવીયર નું જ્ઞાન ન હતું. શ્વાનને જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવતી નહોતી. આ બાબતને જોતા દરેક ડોગ ઓનરને આ પ્રકારની તાલીમ આપવામાં આવશે. તો આ સાથે મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં નવી પોલીસી પણ તૈયાર કરવામાં આવશે. પોલીસીમાં કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં ડોગ ઓનરને ડોગ બિહેવિયર અંગે જરૂરી જ્ઞાન હોવું જરૂરી, સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવું પડશે, શ્વાન રાખવા માટે જરૂરી જગ્યા હોવી જોઈએ, શ્વાનને કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચાડે તેની તકેદારી રાખવી પડશે. આ મુદ્દાઓ ઉપરાંત વિવિધ મુદ્દાઓને સમાવેશ કરીને આગામી દિવસોમાં ડોગ ઓનર્સ માટે કોર્પોરેશન દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પેટ ડોગના માલિકો પોતાના ડોગના વર્તનથી લઈને તેની યોગ્ય રીતે સારસંભાળ અને તેમની પ્રકૃતિ અંગે માહિતગાર ન હોવાના કારણે પેટ ડોગ દ્વારા હુમલાની ઘટના બનતી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે હવે પેટ ડોગના માલિકોને ડોગ ટ્રેનર અને બિહેવિયર એક્સપર્ટ મારફતે જાણકારી આપવામાં આવશે.

પેટ ડોગ રજીસ્ટ્રેશન નહીં કરાવનાર માલિકને આપવામાં નોટિસ આવશે. નોટિસ આપ્યા બાદ પણ રજીસ્ટ્રેશન નહીં થાય તો કાયદાકીય પગલા ભરવામાં આવશે. ડોગ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 31 મે છે. 31 તારીખ બાદ રજીસ્ટ્રેશનના ચાર્જીસમાં વધારો કરવામાં આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...