Saturday, January 17, 2026

માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો ! નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ, આરોપીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે મોટો સવાલ છે. નાની બાળકીઓથી લઈને મોટી ઉમરની સ્ત્રીઓ પણ હવે સુરક્ષિત રહી નથી. તેવું જણાઈ આવે છે. નાની બાળકીથી લઈને મોટી મહિલાઓ સાથે દુષ્કર્મ-અપહરણની ઘણી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. જેના લીધે મહિલાઓ ઘરની બહાર સુરક્ષિત નથી. તેવી ઘટનાઓ ઘણીવાર સામે આવે છે. આવો જ ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદના નવરંગપુરામાંથી સામે આવ્યો છે. નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શનિવારે સાંજે અમદાવાદના નવરંગપુરામાં આવેલ લૉ ગાર્ડન વિસ્તારમાં બની હતી, જ્યાં બાળકી તેની માતા આરતી ભીલ સાથે પાણીની બોટલ વેચતી હતી. બાળકી અન્ય બાળકો સાથે રમવા માટે બગીચામાં ગઈ હતી પરંતુ, સાંજ સુધી પરત ન ફરતાં માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નવરંગપુરા પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ્યો હતો.અપહરણકારે બાળકીની ઓળખ ન થાય માટે તેના વાળ કપાવી નાખ્યા હતા. તે આરોપીએ બાળકીને છુપાવી રાખી હતી. જેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહ્યું હતું.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અપહરણકર્તાના સકંજામાંથી માસૂમને ઉગારી લીધી હતી. બાળકીને જોતા માતાપિતા રડી પડ્યા હતા.

આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આવી ઘણી ઘટનાઓ અમદાવાદમાં બની છે.જેમાં આરોપીઓએ નાની બાળકીઓનું અપહરણ કરીને તેમની સાથે ખરાબ કૃત્ય કર્યું હોય. ત્યારે નાની 4 વર્ષીય બાળકીને કિડનેપરની ચુંગાલમાંથી બચાવી લેવાઈ છે. તેમજ બાળકીને તેના માતાપિતાને પરત સોંપી દેવામાં આવી છે.તો આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...