Monday, January 19, 2026

વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણય, શાળા પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારી ફરજિયાત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહીત સમગ્ર ગુજરામાં શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસ અને પિકનિકમાં બાળકોની સલામતી અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી સ્કૂલ પિકનિક દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે. એટલું જ નહી વિદ્યાર્થિનીઓને લઇ જતા પ્રવાસમાં પણ મહિલા પોલીસ કર્મચારીઓ સાથે રાખવામાં આવશે.હવે શાળામાં વેકેશન પૂરું થવામાં આવી રહ્યું છે, જલ્દી જ શાળાઓ શરૂ થઈ જશે. ત્યારે સરકાર દ્વારા બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને સ્કૂલ પિકનિકમાં નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

DGP કોન્ફરન્સ 2024માં PMએ કરેલા સૂચનનો ગુજરાતમાં અમલ કરાશે. DGP કચેરીએ શિક્ષણ વિભાગને પરિપત્ર જાહેર કર્યો. શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસ દરમિયાન બે પોલીસ કર્મચારીઓને હાજર રાખવા પડશે. શાળાના આચાર્યે પ્રવાસ સમયે લોકલ પોલીસનો સંપર્ક કરવો ફરજિયાત છે. અને જો પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ સાથે હોય તો મહિલા પોલીસકર્મી પણ સાથે રહેશે.

આ આદેશ મુજબ, દરેક principals ને પ્રવાસ યોજવા પહેલાં નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પ્રવાસ દરમિયાન બે પોલીસકર્મીઓની હાજરી સુનિશ્ચિત કરવાની રહેશે. મહિલાઓના સહભાગી પ્રવાસો માટે ખાસ રીતે મહિલા પોલીસકર્મીઓની પણ હાજરી ફરજિયાત રહેશે. principals ને આ સમગ્ર આયોજન અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરી adapprm@gujarat.gov.in ઈ-મેઈલ પર મોકલવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ પગલાનો મુખ્ય ઉદ્દેશ બાળકોની સલામતી છે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓના પ્રવાસો દરમિયાન સર્જાતા અકસ્માતો અને દુર્ઘટનાઓએ શિક્ષણ વિભાગને અને પોલીસ તંત્રને ચિંતિત કર્યા છે. ખાસ કરીને વડોદરા શહેરના હરણી તળાવમાં 2023માં થયેલા હરણી બોટ કાંડના પીડાદાયક અનુભવને કારણે શિક્ષણ પ્રવાસોની સલામતી વધુ ચિંતાનો વિષય બની ગઈ હતી. આ કાંડમાં સલામતીના અભાવને કારણે અનેક બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે રાજ્ય સરકારે આ પ્રકારની દુર્ઘટનાઓ અટકાવવા માટે આ નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે.

તો બીજી તરફ, સ્કૂલ વર્ધી લેતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. શાળા શરૂ થતા પહેલા સ્કૂલ વર્ધી લેતા વાહન ચાલકો માટે પરમીટ લેવી આવશ્યક છે. સ્કૂલ વર્ધી માટે ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનનો ઉપયોગ કરી શકાય. નોન ટ્રાન્સપોર્ટ વાહનના ઉપયોગ સામે દંડની જોગવાઈ કરાઈ છે. RTO નિયમાનુસાર વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. ઓટો રીક્ષામાં 6 નાના બાળકો, વાનમાં 8 બાળકોની ક્ષમતા છે. સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોનો વીમો, PUC ફરજિયાત છે. શાળા શરૂ થતા ડ્રાઈવનું આયોજન થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...