Tuesday, April 28, 2026

વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણય, શાળા પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારી ફરજિયાત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહીત સમગ્ર ગુજરામાં શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસ અને પિકનિકમાં બાળકોની સલામતી અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી સ્કૂલ પિકનિક દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે. એટલું જ નહી વિદ્યાર્થિનીઓને લઇ જતા પ્રવાસમાં પણ મહિલા પોલીસ કર્મચારીઓ સાથે રાખવામાં આવશે.હવે શાળામાં વેકેશન પૂરું થવામાં આવી રહ્યું છે, જલ્દી જ શાળાઓ શરૂ થઈ જશે. ત્યારે સરકાર દ્વારા બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને સ્કૂલ પિકનિકમાં નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

DGP કોન્ફરન્સ 2024માં PMએ કરેલા સૂચનનો ગુજરાતમાં અમલ કરાશે. DGP કચેરીએ શિક્ષણ વિભાગને પરિપત્ર જાહેર કર્યો. શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસ દરમિયાન બે પોલીસ કર્મચારીઓને હાજર રાખવા પડશે. શાળાના આચાર્યે પ્રવાસ સમયે લોકલ પોલીસનો સંપર્ક કરવો ફરજિયાત છે. અને જો પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ સાથે હોય તો મહિલા પોલીસકર્મી પણ સાથે રહેશે.

આ આદેશ મુજબ, દરેક principals ને પ્રવાસ યોજવા પહેલાં નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પ્રવાસ દરમિયાન બે પોલીસકર્મીઓની હાજરી સુનિશ્ચિત કરવાની રહેશે. મહિલાઓના સહભાગી પ્રવાસો માટે ખાસ રીતે મહિલા પોલીસકર્મીઓની પણ હાજરી ફરજિયાત રહેશે. principals ને આ સમગ્ર આયોજન અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરી adapprm@gujarat.gov.in ઈ-મેઈલ પર મોકલવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ પગલાનો મુખ્ય ઉદ્દેશ બાળકોની સલામતી છે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓના પ્રવાસો દરમિયાન સર્જાતા અકસ્માતો અને દુર્ઘટનાઓએ શિક્ષણ વિભાગને અને પોલીસ તંત્રને ચિંતિત કર્યા છે. ખાસ કરીને વડોદરા શહેરના હરણી તળાવમાં 2023માં થયેલા હરણી બોટ કાંડના પીડાદાયક અનુભવને કારણે શિક્ષણ પ્રવાસોની સલામતી વધુ ચિંતાનો વિષય બની ગઈ હતી. આ કાંડમાં સલામતીના અભાવને કારણે અનેક બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે રાજ્ય સરકારે આ પ્રકારની દુર્ઘટનાઓ અટકાવવા માટે આ નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે.

તો બીજી તરફ, સ્કૂલ વર્ધી લેતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. શાળા શરૂ થતા પહેલા સ્કૂલ વર્ધી લેતા વાહન ચાલકો માટે પરમીટ લેવી આવશ્યક છે. સ્કૂલ વર્ધી માટે ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનનો ઉપયોગ કરી શકાય. નોન ટ્રાન્સપોર્ટ વાહનના ઉપયોગ સામે દંડની જોગવાઈ કરાઈ છે. RTO નિયમાનુસાર વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. ઓટો રીક્ષામાં 6 નાના બાળકો, વાનમાં 8 બાળકોની ક્ષમતા છે. સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોનો વીમો, PUC ફરજિયાત છે. શાળા શરૂ થતા ડ્રાઈવનું આયોજન થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...