38.9 C
Gujarat
Friday, June 6, 2025

અમદાવાદના‘દિલ્હી દરવાજો’નો એક ભાગ ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં

Share

અમદાવાદમાં ઐતિહાસિક દિલ્હી દરવાજાનો એક ભાગ ધરાશાયી થયો છે. અમદાવાદના હેરિટેજની દિલ્હી દરવાજાનો એક ભાગ ધરાશાયી લાગી રહ્યું છે કે, માવજતમાં પણ તંત્રની બેદરકારી જણાઇ રહી છે. દિલ્હી દરવાજાનો દરવાજાનો એક ભાગ ધરાશાયી થતા અમદાવાદ મહાનગર પાલિકાએ બેરીકેટિંગ કરી દીધુ છે. આવતા-જતા વાહનચાલકોને હાલાકી ન થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્રએ કામગીરી તેજ કરી છે. અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો પણ આ ઐતિહાસિક ધરોહરની માવજતમાં તંત્રની ગંભીર બેદરકારી જણાઇ રહી છે. પગલે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ દોડી આવી હતી અને ત્યાંથી વાહન વ્યવહાર બંધ કરાવી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના કોટ વિસ્તારમાં ઐતિહાસિક દરવાજા આવેલા છે જેમાં સૌથી જૂનો દિલ્હી દરવાજાનો એક તરફનો દરવાજો આજે બુધવારે રાત્રે અચાનક જ ધરાશાયી થયો હતો. અવાજ આવતાની સાથે જ સ્થાનિક લોકો દોડી ગયા હતા. હાજર ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સદનસીબે આ સમયે ત્યાંથી કોઈ વાહન પસાર ન થતાં અને સામેની દીવાલ ઉપર દરવાજો પડ્યો હતો જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે દરવાજાની વચ્ચે અવરજવરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો પરંતુ શહેરમાં હેરિટેજ ઈમારતોની જાળવણી માટે તંત્ર દ્વારા સચોટ બેદરકારી દાખવતી હોવાનું જણાઇ આવે છે. હેરિટેજ ઈમારતોની માવજત અંગે આટલી મોટી બેદરકારી એ તંત્ર ઉપર અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.

અમદાવાદના ઐતિહાસિક દિલ્હી દરવાજાનું 1878માં નિર્માણ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી દિલ્હી જવા માટે તે એક પરિવહન માટેનો રસ્તો માનવામાં આવતો હતો. તેથી આ દરવાજાનું નામ દિલ્હી દરવાજા રાખવામાં આવ્યું. દિલ્હી દરવાજો લોખંડના ઢોળવાળા લાકડાના દરવાજા સાથે છતવાળુ પ્લેટફોર્મ છે, આ ઉપરાંત એવું કહેવાય છેકે, દિલ્હી દરવાજો શહેરના વિસ્તરણ દરમિયાન મહમૂદ બેગડાએ બાંધેલા બીજી કિલ્લેબંધી દિવાલોનો એક ભાગ હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles