Tuesday, January 20, 2026

અમદાવાદમાં રથયાત્રા રૂટનું રૂપિયા 19.59 કરોડના ખર્ચે ડેવલપ કરાશે, મંદિરના પ્રાંગણમાં લાઈટીંગ કરાશે

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના જમાલપુરમાં જગન્નાથજી મંદીરને અતિ પ્રસિદ્ધ માનવામાં આવે છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની છેલ્લા 148 વર્ષથી ઐતિહાસિક રથયાત્રા પણ યોજાય છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટ પૈકી હાલમાં જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથ મંદીર, જમાલપુર દરવાજા, વૈશ્યસભા, ખમાસા થઈ મ્યુનિસીપલ ઓફિસ કેમ્પસ સુધીના અંદાજે 1,200 મીટર લંબાઈના માર્ગનું નવીનીકરણ કરવાનું આયોજન કર્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 19.59 કરોડના ખર્ચે જમાલપુર મંદિર પાસે રથયાત્રા રૂટના ડેવલોપમેન્ટનું કામ કરવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટ જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથ મંદિર,જમાલપુર દરવાજા,વૈશ્યસભા,ખમાસા થઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ સુધીના 1200 મીટરના રસ્તાને ડેવલપ કરવા આયોજન કરાયુ છે.જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથ મંદિર સુધીના માર્ગમાં સેન્ટર લાઈટીંગ,ગ્રીન પેચ કોટા અને ગ્રેનાઈટ સ્ટોન સાથેની ફુટપાથ બનાવાશે.મંદિરના પ્રવેશ દ્વારથી ગેટ નંબર-બે તેમજ સમગ્ર પ્લાઝામા કલાત્મક પેવીંગ ,લાઈટીંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્યસભા, શાહઅલી ગામધણી દરગાહ, ખમાસા ચાર રસ્તા જંકશન ઉપર આઈલેન્ડ, સ્કલપચર, સેન્ટ્રલ વર્જ ડેવલપ કરાશે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા 1200 મીટરના રોડ પર રથયાત્રા રૂટના ડેવલોપમેન્ટ માટે 19.59નો ખર્ચ કરવામાં આવશે. 19.59 કરોડના ખર્ચે જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્યસભા, શાહઅલી ગામ ધણી દરગાહ, ખમાસા ચાર રસ્તા વગેરે જગાએ જંકશન રીડીઝાઈન કરવામા આવી રહી છે. આ વર્ષે રથયાત્રા દરમિયાન મંદિર બહાર લોકો ઊભા રહી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે.

જગન્નાથ મંદિરના પ્રવેશદ્વારથી ગેટ નંબર 2 અને પ્લાઝા સુધીના વિસ્તારને લાઇટિંગથી શણગારવાની કામગીરી પણ અત્યારે ચાલી રહી છે. 19.59 કરોડના આ પ્રોજેક્ટમાં જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્ય સભા, શાહલી ગામધણી દરગાહ અને ખમાસા ક્રોસરોડ્સનું નવીનીકરણ પણ કરવામાં આવશે. આ સાથે સાથે રથયાત્રા વિસ્તારમાં નવા ટેબલટોપ્સ, ટાપુઓ, શિલ્પો અને સૌંદર્યલક્ષી રીતે ડિઝાઇન કરાયેલ લટકતી લાઇટ્સ પણ ગોઠવવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યારે રથયાત્રાની તાડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રથયાત્રાની વાત કરવામાં આવે તો, ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથનું કલર કામ થઈ ગયું છે. 11મી જૂનના રોજ ભગવાનની મિની રથયાત્રા એટલે કે જળયાત્રા યોજાશે. આ જળયાત્રા હાથી, બેન્ડવાજા, ધજા પતાકા, ભજન મંડળી અને નાના અખાડા સાથે મંદિરેથી સાબરમતી નદીના ભુદરના આરે પહોંચશે. ભગવાન જગન્નાથની 148મી મુખ્ય રથયાત્રાની વાત કરવામાં આવે તો, 27 જુનના રોજ યોજવામાં આવશે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાવાના છે. આ રથયાત્રાને લઈને તંત્ર દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર રથયાત્રા યોજાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...