Wednesday, January 21, 2026

ગુજરાત પોલીસની નવી પહેલ ! સોશિયલ મીડિયા મારફતે માત્ર એક ક્લિકથી મળશે દરેક સમસ્યાનો ઉકેલ

spot_img
Share

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસની એક અનોખી અને અદ્યતન પહેલ – GP-SMASH (ગુજરાત પોલીસ – સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ)નો 1 માર્ચ 2025થી આરંભ કર્યો છે.

GP-SMASH શું છે?
GP-SMASH એ ગુજરાત પોલીસનો એક સોશિયલ મીડિયા મોનિટરિંગ અને અવેરનેસ પ્રોજેક્ટ છે, જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા પર રજૂ થતી ફરિયાદો, ચિંતાઓ અને સૂચનોને સંવેદનશીલ રીતે સાંભળી, તેને યોગ્ય અધિકારીઓ સુધી ઝડપથી પહોંચાડીને સમયસર ઉકેલ લાવવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સ્તરે એક ડેડિકેટેડ ટીમ 24*7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોલીસ વિભાગને લગતી પોસ્ટ્સ, ગુનાઓ અને સારા કાર્યોનું રિયલ-ટાઈમ મોનિટરિંગ કરે છે.

કઈ રીતે કામ કરે છે GP-SMASH?
ગુજરાત પોલીસના X હેન્ડલ પર ટેગ કરાયેલી પોસ્ટ્સને ગણતરીની મિનિટોમાં જવાબ આપવામાં આવે છે. આ પોસ્ટ્સ લો એન્ડ ઓર્ડર, ટ્રાફિક, પ્રોહિબિશન, સાયબર ફ્રોડ કે સરકારી અધિકારીઓના દુર્વ્યવહાર જેવા મુદ્દાઓ સાથે સંકળાયેલી હોય, તો તેને તાત્કાલિક સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડાને ટેગ કરી, તપાસ અને કાર્યવાહી માટે સૂચના આપવામાં આવે છે. આ ઉપરાંત, સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો પણ તે જ પોસ્ટ પર કોમેન્ટ દ્વારા અપડેટ કરવામાં આવે છે. આ પ્રક્રિયાનું રાજ્ય, રેન્જ અને જિલ્લા સ્તરે સતત મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી ઝડપી અને પારદર્શક નિરાકરણ સુનિશ્ચિત થાય.

ત્રણ મહિનામાં 310 ફરિયાદો ઉકેલાઈ
લો એન્ડ ઓર્ડર ડીઆઈજી દીપક મેઘાણીના નેતૃત્વમાં GP-SMASH ટીમે 1લી માર્ચથી 31મી મે, 2025 દરમિયાન 335 નાગરિક રજૂઆતોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી હતી. આમાંથી 310થી વધુ પ્રશ્નોનું ગણતરીના કલાકોમાં નિરાકરણ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસને આ ઝડપી કામગીરી માટે ફરિયાદી પરથી સકારાત્મક ફીડબેક મળ્યા છે, જે નાગરિકોના વિશ્વાસ અને સુરક્ષાની ભાવનામાં વધારો દર્શાવે છે.

GP-SMASH માત્ર ડિજિટલ મોનિટરિંગ પૂરતું મર્યાદિત નથી, પરંતુ એક જવાબદાર અને ટેકનોલોજીથી સંલગ્ન પોલીસ વ્યવસ્થા તરફનું મજબૂત પગલું છે. GP-SMASH પહેલ થકી ગુજરાત પોલીસ નાગરિકોની નજીક લાવી, “પોલીસ માત્ર એક ક્લિક દૂર” હોવાનો અહેસાસ કરાવ્યો છે. સોશિયલ મીડિયા પર રજૂ થતા પ્રશ્નો હવે માત્ર “ટ્રેન્ડ” નથી રહેતા, તેના પર તાત્કાલિક પગલાં લેવામાં આવે છે. તમે પણ ગુજરાત પોલીસના ઓફિશિયલ X એકાઉન્ટ @GujaratPolice ઉપર ટેગ કરીને તમારી સમસ્યાની રજૂઆત કરી શકો છો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...