Thursday, March 12, 2026

રાણીપમાં બકરામંડી પાસે અકસ્માતમાં નશામાં ધૂત કોન્સ્ટેબલે કારથી ઉડાવેલા પોલીસકર્મીનું મોત

spot_img
Share

અમદાવાદ : શહેરના રાણીપમાં બકરામંડી પાસે નશામાં ધૂત કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટ મુજબ, જેમાંથી એક એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સંજય અસારી પણ હતા. તેમની SVP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં આજે 6 જુનના રોજ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસે આરોપી યુવરાજસિંહ વાઘેલા વિરુદ્ધ અકસ્માત મોતની કલમ ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો શહેરના રાણીપ વિસ્તારમાં 31 મેના મોડી રાતે પૂરઝડપે વેગનઆરના ચાલક અને માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મચારીએ 3-4 વાહનોને અડફેટે લીધા બાદ કાર દીવાલમાં ઘૂસાડી દીધી હતી.જેમાં કુલ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વેગન-આરના ચાલકે વાહનોને અડફેટે લીધા બાદ કાર દીવાલમાં ઘૂસાડી દીધી હતી. નંબર પ્લેટ વગરની ગાડીથી નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાથી કોન્સ્ટેબલ યુવરાજસિંહને સ્થાનિક લોકોએ નીચે ઉતારી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે યુવરાજસિંહ પોતે પોલીસકર્મી હોવાથી લોકોને જોઈ લઈશ તેવી ધમકી આપતો હતો.

અકસ્માતની ઘટનાની બાદમાં પીસીઆર વાનમાં તેને રાણીપ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. ત્યાં પીએસઓ સહિત ચાર પોલીસકર્મીઓ સામે સારવારનું બહાનું કાઢીને તે ભાગી ગયો હતો. આ અંગે પણ ઝોન-2 ડીસીપીએ એલ ડિવિઝન એસીપીને પોલીસકર્મીઓ અંગે તપાસ સોંપી હતી. જ્યારે રાણીપ પોલીસે તેને સુરેન્દ્રનગરથી ઝડપી પાડ્યો હતો. જે બાદ આરોપીને એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને સોંપવામાં આવ્યો હતો.

રાણીપમાં રહેતા 60 વર્ષીય કાનજીભાઇ પરમાર નિવૃત જીવન ગુજારે છે. ગત 31 મેએ રાત્રિના સમયે કાનજીભાઇ બાઇક લઇને જગતપુરથી ઘરે જતા હતા. ત્યારે રાણીપ બકરામંડી પાસે પહોંચ્યા તે સમયે કારચાલકે પૂરઝડપે આવીને એક્ટિવાચાલક 37 વર્ષીય સંજયભાઇ અંસારીને અડફેટે લીધો હતો. ત્યારબાદ રોડ પર પડેલી લારીને ટક્કર મારી હતી. ત્યારબાદ કાનજીભાઇના બાઇકને ટક્કર મારી હતી. રોડ પર ઉભેલા 50 વર્ષીય મુમતાઝબેન શેખને પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં કાનજીભાઇ અને સંજયભાઇને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સંજયભાઇનું હાલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...