Thursday, January 22, 2026

અમદાવાદના આ 147 સ્પોટ પર આ વર્ષે વરસાદી પાણી ભરાશે, હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરી શકાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સહેજ પણ વધારે વરસાદ પડે એટલે સ્થિતિ બગડી જાય. ચારેતરફ પાણી ભરાવાની અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ આ વર્ષે સ્થિતિ કંઈ સુધરી નથી. અમદાવાદના અનેક વિસ્તારો એવા છે જ્યાં આ વર્ષે સો ટકા પાણી ભરાવવાની શક્યતા છે તો આવા 147 વિસ્તારોનું લિસ્ટ સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 ઝોનમાં રહેતા નાગરિકો માટે ચોમાસાની સમસ્યામાં કોઈ તકલીફ ન પડે તે માટે ફરિયાદ નંબર જાહેર કરાયો છે. દરેક ઝોન મુજબ અલગ અલગ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લોકો ચોમાસા દરમિયાન પાણી ભરાવા, વૃક્ષ પડી જવું, મકાન પડી જવું, હોર્ડિંગ્સ પડી જવા તથા ભયજનક સ્થિતિમાં મદદ માટે ફોન કરી શકે છે.

અમદાવાદમાં ચોમાસામાં વરસાદની પાણીના નિકાલ માટે 68443 કેચપિટ ત્રણ વખત સાફ કરવા રૂપિયા 1.18 લાખ કરોડથી વધુનો ખર્ચ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. ત્યારે બીજા તબક્કામાં હજુ 48691 કેચપીટ સાફ કરવાની બાકી છે. વર્ષ 2024 માં વરસાદી પાણી ભરવાના 124 સ્પોટ હતા. પરંતું આ વર્ષે કોર્પોરેશન સમયસર કામગીરી પૂરી કરે તેવી શક્યતા નથી. તેથી વરસાદી પાણી ભરાવાના 147 સ્પોટ થઈ ગયા છે. આ સ્પોટ પર આ વર્ષે પણ સો ટકા પાણી ભરાવાનું અને લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી શકે છે.

વરસાદી પાણી ભરાતા હોય તેવા સ્પોટ
વ્યાસવાડી રોડ (નરોડા),
ગોદાણી સર્કલ (સરસપુર),
જનરલ હોસ્પિટલ રોડ (સરસપુર),
મંછાની મસ્જિદ (સરસપુર),
138 બસસ્ટેન્ડ (બાપુનગર),
શ્રીનંદનગર (સોનલ રોડ),
મકરબા પોલીસ હેડ ક્વાર્ટ્સ,
એઈસી નારણપુરા,
નવરંગ સર્કલ (નારણપુરા),
માણેકબાગ, મોટેરા,
હીરાબાગ (પાલડી),
ઉત્તમ નગર, ચમકયુના રોડ,
ત્રિકમલાલ ચાર રસ્તા, હાટકેશ્વર ચાર રસ્તા,
મધુમાલતી (નિકોલ), ઓઢવ ફાયર સ્ટેશન,
છોટાલાલની ચાલી, ગોતા તળાવ,
હેલમેટ સર્કલ, સરકારી વસાહત, બોડકદેવ

ઝોન મુજબ નંબર, આ નંબર પર ફરિયાદ કરી શકાય છે

મધ્ય ઝોન – 9099064167
પૂર્વ ઝોન – 9099063856
પશ્ચિમ ઝોન – 6359980916
ઉત્તર પશ્ચિમ ઝોન – 9726416112
દક્ષિણ પશ્ચિમ ઝોન – 6359980913
ઉત્તર ઝોન – 9326415552
દક્ષિણ ઝોન – 9099063239
કન્ટ્રોલ રૂમ – 9978355303

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...