Thursday, March 12, 2026

અમદાવાદના આ 147 સ્પોટ પર આ વર્ષે વરસાદી પાણી ભરાશે, હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરી શકાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સહેજ પણ વધારે વરસાદ પડે એટલે સ્થિતિ બગડી જાય. ચારેતરફ પાણી ભરાવાની અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ આ વર્ષે સ્થિતિ કંઈ સુધરી નથી. અમદાવાદના અનેક વિસ્તારો એવા છે જ્યાં આ વર્ષે સો ટકા પાણી ભરાવવાની શક્યતા છે તો આવા 147 વિસ્તારોનું લિસ્ટ સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 ઝોનમાં રહેતા નાગરિકો માટે ચોમાસાની સમસ્યામાં કોઈ તકલીફ ન પડે તે માટે ફરિયાદ નંબર જાહેર કરાયો છે. દરેક ઝોન મુજબ અલગ અલગ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લોકો ચોમાસા દરમિયાન પાણી ભરાવા, વૃક્ષ પડી જવું, મકાન પડી જવું, હોર્ડિંગ્સ પડી જવા તથા ભયજનક સ્થિતિમાં મદદ માટે ફોન કરી શકે છે.

અમદાવાદમાં ચોમાસામાં વરસાદની પાણીના નિકાલ માટે 68443 કેચપિટ ત્રણ વખત સાફ કરવા રૂપિયા 1.18 લાખ કરોડથી વધુનો ખર્ચ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. ત્યારે બીજા તબક્કામાં હજુ 48691 કેચપીટ સાફ કરવાની બાકી છે. વર્ષ 2024 માં વરસાદી પાણી ભરવાના 124 સ્પોટ હતા. પરંતું આ વર્ષે કોર્પોરેશન સમયસર કામગીરી પૂરી કરે તેવી શક્યતા નથી. તેથી વરસાદી પાણી ભરાવાના 147 સ્પોટ થઈ ગયા છે. આ સ્પોટ પર આ વર્ષે પણ સો ટકા પાણી ભરાવાનું અને લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી શકે છે.

વરસાદી પાણી ભરાતા હોય તેવા સ્પોટ
વ્યાસવાડી રોડ (નરોડા),
ગોદાણી સર્કલ (સરસપુર),
જનરલ હોસ્પિટલ રોડ (સરસપુર),
મંછાની મસ્જિદ (સરસપુર),
138 બસસ્ટેન્ડ (બાપુનગર),
શ્રીનંદનગર (સોનલ રોડ),
મકરબા પોલીસ હેડ ક્વાર્ટ્સ,
એઈસી નારણપુરા,
નવરંગ સર્કલ (નારણપુરા),
માણેકબાગ, મોટેરા,
હીરાબાગ (પાલડી),
ઉત્તમ નગર, ચમકયુના રોડ,
ત્રિકમલાલ ચાર રસ્તા, હાટકેશ્વર ચાર રસ્તા,
મધુમાલતી (નિકોલ), ઓઢવ ફાયર સ્ટેશન,
છોટાલાલની ચાલી, ગોતા તળાવ,
હેલમેટ સર્કલ, સરકારી વસાહત, બોડકદેવ

ઝોન મુજબ નંબર, આ નંબર પર ફરિયાદ કરી શકાય છે

મધ્ય ઝોન – 9099064167
પૂર્વ ઝોન – 9099063856
પશ્ચિમ ઝોન – 6359980916
ઉત્તર પશ્ચિમ ઝોન – 9726416112
દક્ષિણ પશ્ચિમ ઝોન – 6359980913
ઉત્તર ઝોન – 9326415552
દક્ષિણ ઝોન – 9099063239
કન્ટ્રોલ રૂમ – 9978355303

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...