31.8 C
Gujarat
Sunday, June 8, 2025

અમદાવાદમાં 15 દિવસમાં ભાડા કરાર વિના મકાન ભાડે આપનારા 500 મકાનમાલિકો સામે ફરિયાદ

Share

અમદાવાદ : રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે પોલીસ દ્રારા સંપુર્ણ તૈયારીઓ શરુ કરી દેવાઇ છે.છેલ્લા 15 દિવસમાં શહેર પોલીસે 500થી વધુ મકાન માલિકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.જેમણે ભાડાકરાર વગર ભાડુઆત મકાન રહેવા માટે આપ્યુ હતું. પોલીસે કમીશ્નરના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 27 જુન 2025ના રોજ રથયાત્રા નીકળવાની છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે આવવાના છે.રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે પોલીસ દ્રારા તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. રથયાત્રા શાંતિપુર્ણ પુરી થાય અને કેટલાક વિધ્ન સંતોષીઓના ઇરાદા પર પાણી ફેરવાઇ જાય તે માટે પોલીસે માઇક્રોલેવલનું પ્લાનીગ કર્યું છે. આ વખતે અમદાવાદ પોલીસે મકાન માલીકો સામે પણ કાર્યવાહી કરી છે.કેટલાક લોકો પોતાના ઇરાદા પાર પાડવા માટે અમદાવાદમાં ભાડેના મકાન રહેતા હોય છે અને બાદમાં તેમનો ટાર્ગેટ પુરો થઇ જાય ત્યારે મકાન ખાલી કરીને ગાયબ થઇ જતા હોય છે.અમદાવાદ પોલીસ કમીશ્નર જી.એસ. મલિકે ભાડા કરાર રહેતા ભાડુઆતોને શોધી કાઢવા તેમજ મકાન માલીકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. પોલીસ કમીશ્નરના આદેશ બાદ શહેર પોલીસ ઠેરઠેર કેસો નોંધવાનું શરૂ કર્યુ હતું.

મીડિયા રિપોર્ટ મુજબ, છેલ્લાં 20 દિવસમાં શહેર પોલીસે 500થી વધુ મકાન માલીકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.મકાન માલીકોએ ભાડા કરાર કર્યા વગર ભાડુઆતને મકાન ભાડે રહેવા માટે આપ્યા હતા.પોલીસ માત્ર મકાન માલીકો પર નહી પરંતુ દુકાન માલીકો ઉપર પણ તવાઇ બોલાવી રહી છે.આવનારા દિવસોમાં હજુ પણ વધુ ગુનો નોંધાય તેવી શક્યતાઓ છે.મકાનમાં કોઇ શંકમદ નામ બદલીને આસરો નથી લઇ રહ્યો તે મામલે પોલીસ ઠેરઠેર સર્ચ કરી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles