અમદાવાદ : રુંવાડા ઉભા કરી દે તેવી હચમચાવી દેતી દુર્ઘટનાનું સાક્ષી અમદાવાદ બન્યું છે. અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે. જેમાં 242 પેસેન્જર સવાર હતા, ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મદદ માટે ટાટા ગ્રુપ આગળ આવ્યું છે. ટાટા ગ્રુપે મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. સાથે જ આ દુર્ઘટનામાં ઘાયલોની સારવારનો તમામ ખર્ચ પણ ટાટા ગ્રુપ ઉપાડશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને આ માહિતી આપતા જણાવ્યું કે, એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ ક્ષણે આપણે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારા વિચારો અને પ્રાર્થનાઓ એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે તેમની સાથે છે.
ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપશે. અમે ઘાયલોના તબીબી ખર્ચને પણ આવરી લઈશું અને ખાતરી કરીશું કે તેમને બધી જરૂરી સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બીજે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઊભા રહેવામાં અડગ રહીએ છીએ.
ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપશે. અમે ઘાયલોના તબીબી ખર્ચને પણ આવરી લઈશું અને ખાતરી કરીશું કે તેમને બધી જરૂરી સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બીજે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઊભા રહેવામાં અડગ રહીએ છીએ.