Friday, January 16, 2026

અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં BJ મેડિકલ હોસ્ટેલના 4 ઈન્ટર્ન ડોક્ટર્સના મોત, ત્રણ ગુમ અને બે સીરિયસ

spot_img
Share

અમદાવાદઃ અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં બીજે મેડિકલ હોસ્ટેલના 4 ઈન્ટર્ન ડોક્ટર્સના મોત થયા હતા. આર્યન રાજપુત, માનસભાદુ અને રાકેશ દિયોરાના મૃત્યુ થયા હતા. જ્યારે ડોક્ટર જયપ્રકાશ ચૌધરીની શોધખોળ થઈ રહી છે. બી જે મેડિકલ કોલેજના ડીન ડૉ. મીનાક્ષી પરીખના કહેવા મુજબ પાંચ વિદ્યાર્થીઓ સીરિયસ છે, જ્યારે 13 વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી હતી. મેડિકલ સ્ટુડન્ટ પ્રદીપ સોલંકીના પત્ની કાજલ સોલંકી ઘાયલ થયા હતા. વિદ્યાર્થીના એક સંબંધીનું ઘટનામાં મૃત્યુ થયું છે, જ્યારે ત્રણ ગુમ છે, બે સીરિયસ છે.

મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન બીજે મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડૉક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન તૂટી પડતાં 240થી વધુ મુસાફરોના મૃત્યુ થયા હતા. હાલ 50 મૃતદેહોના પોસ્ટ મોર્ટમ થયા છે. ડીએનએ ટેસ્ટ માટે 102 લેવાયા બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. ડીએનએ રિપોર્ટ આવતા ત્રણથી ચાર દિવસ લાગશે. આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા. આ ઉપરાંત નંદ કાર્ગો મોટર્સના માલિક નેહા નંદા, લુબી પંપ્સના સુભાષચંદ્ર અમીન, રાજપથ ક્લબના ડાયરેક્ટર દિલીપ પટેલ જેવા જાણીતા લોકો પણ હતા.

એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ171 અમદાવાદમાં તૂટી પડતાં 242 લોકોના મોત થયા હતા. જેમાં 2 પાયલટ અને 10 ક્રૂ મેમ્બર્સ પણ હતા. પ્લેનમાં 128 પુરુષ મુસાફરો અને 114 મહિલા મુસાફરો હતો. પ્લેનમાં સવાર મુસાફરોમાં 169 ભારતીયો અને 53 બ્રિટીશ નાગરિકો સવાર હતા. આ ઉપરાંત 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગિઝ નાગરિકો હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...