38.8 C
Gujarat
Friday, June 13, 2025

અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં BJ મેડિકલ હોસ્ટેલના 4 ઈન્ટર્ન ડોક્ટર્સના મોત, ત્રણ ગુમ અને બે સીરિયસ

Share

અમદાવાદઃ અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં બીજે મેડિકલ હોસ્ટેલના 4 ઈન્ટર્ન ડોક્ટર્સના મોત થયા હતા. આર્યન રાજપુત, માનસભાદુ અને રાકેશ દિયોરાના મૃત્યુ થયા હતા. જ્યારે ડોક્ટર જયપ્રકાશ ચૌધરીની શોધખોળ થઈ રહી છે. બી જે મેડિકલ કોલેજના ડીન ડૉ. મીનાક્ષી પરીખના કહેવા મુજબ પાંચ વિદ્યાર્થીઓ સીરિયસ છે, જ્યારે 13 વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી હતી. મેડિકલ સ્ટુડન્ટ પ્રદીપ સોલંકીના પત્ની કાજલ સોલંકી ઘાયલ થયા હતા. વિદ્યાર્થીના એક સંબંધીનું ઘટનામાં મૃત્યુ થયું છે, જ્યારે ત્રણ ગુમ છે, બે સીરિયસ છે.

મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન બીજે મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડૉક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન તૂટી પડતાં 240થી વધુ મુસાફરોના મૃત્યુ થયા હતા. હાલ 50 મૃતદેહોના પોસ્ટ મોર્ટમ થયા છે. ડીએનએ ટેસ્ટ માટે 102 લેવાયા બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. ડીએનએ રિપોર્ટ આવતા ત્રણથી ચાર દિવસ લાગશે. આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા. આ ઉપરાંત નંદ કાર્ગો મોટર્સના માલિક નેહા નંદા, લુબી પંપ્સના સુભાષચંદ્ર અમીન, રાજપથ ક્લબના ડાયરેક્ટર દિલીપ પટેલ જેવા જાણીતા લોકો પણ હતા.

એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ171 અમદાવાદમાં તૂટી પડતાં 242 લોકોના મોત થયા હતા. જેમાં 2 પાયલટ અને 10 ક્રૂ મેમ્બર્સ પણ હતા. પ્લેનમાં 128 પુરુષ મુસાફરો અને 114 મહિલા મુસાફરો હતો. પ્લેનમાં સવાર મુસાફરોમાં 169 ભારતીયો અને 53 બ્રિટીશ નાગરિકો સવાર હતા. આ ઉપરાંત 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગિઝ નાગરિકો હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles