Sunday, January 25, 2026

અમદાવાદ પ્લેન ક્રેશમાં આ ત્રણ ગુજરાતી હસ્તીઓએ પણ જીવ ગુમાવ્યો, જાણો કોણ કોણ છે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલું બોઈંગનું 787 ડ્રીમલાઈનર વિમાન ગુરુવારે ક્રેશ થયું હતું. આ વિમાન ટેકઓફની થોડી જ સેકંડોમાં એરપોર્ટથી થોડે દૂર આવેલા મેઘાણીનગરમાં તૂટી પડ્યું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 300થી વધુ મુસાફરોના મોત થયા હતા. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ગુજરાતના ત્રણ મહાનુભાવોના પણ વિમાન દુર્ઘટનામાં મોત થયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 ગુરુવારે ક્રેશ થઈ ગઈ. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 300 થી વધુ લોકોના મોત થયા. અકસ્માતનો ભોગ બનેલાઓમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ઘણા મોટા નામો છે. કેન્દ્રીય મંત્રીઓ સીઆર પાટીલ અને રામ મોહન નાયડુએ વિમાનમાં રૂપાણીની હાજરીની પુષ્ટિ કરી છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ગુજરાતના બે જાણીતા ઉદ્યોગપતિઓ પણ આ વિમાનમાં સવાર હતા. અહેવાલ મુજબ, કાર્ગો મોટર્સ ગ્રુપના સ્થાપક પ્રમુખ નંદા, તેમની પત્ની નેહા પ્રમુખ નંદા અને પુત્ર પ્રયાસ પ્રમુખ નંદા પણ આ ફ્લાઇટમાં સવાર હતા. કાર્ગો મોટર્સ ગ્રુપ પશ્ચિમ ભારતમાં એક અગ્રણી ઓટો ડીલરશીપ અને ટ્રાન્સપોર્ટ કંપની છે.

આ ઉપરાંત, લ્યુબી મોટર્સના ડિરેક્ટર અને ગુજરાતના વ્યાપારી સમુદાયના અગ્રણી સુભાષ અમીન પણ વિમાનમાં સવાર હતા. લ્યુબી પમ્પ્સ પ્રાઇવેટ લિમિટેડ એક ખાનગી કંપની છે, જેની સ્થાપના 27 ફેબ્રુઆરી, 1985 ના રોજ થઈ હતી. તે એક ખાનગી અનલિસ્ટેડ કંપની છે. લ્યુબી પમ્પ્સ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 40 વર્ષથી મુખ્યત્વે મશીનરી અને સાધનોના વ્યવસાયમાં છે.

આ ઉપરાંત અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં રાજપથ ક્લબના ડિરેક્ટર દિલીપભાઈ પટેલનું પણ મૃત્યુ થયું છે. દિલીપ પટેલ અને તેમના પત્ની મીનાબેન પટેલ કેનેડામાં દીકરીને મળવા જઈ રહ્યા હતા. લંડન જઈ રહેલા પતિ પત્નીને કાળ ભરખી ગયો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...