26.4 C
Gujarat
Saturday, June 28, 2025

અમદાવાદ પ્લેન ક્રેશ: 5 મૃતદેહોની ઓળખ કરી પરિવારજનોને સોપ્યાં, 250થી વધુ પોસ્ટમોર્ટમ કરાયા

Share

અમદાવાદ : અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ગઈકાલથી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં 70 થી 80 ડોક્ટરો તૈનાત હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 5 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. આ મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. ઓળખાયેલા મૃતદેહોમાં રાજસ્થાનના 2, ગુજરાતના ભાવનગર જિલ્લાના 2 અને મધ્યપ્રદેશનો 1નો સમાવેશ થાય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદના પીએસસી અને સીએસસીના ડોક્ટર્સ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની તેમજ તેમની ટીમ સહિત 70 થી 80 ડોક્ટર્સ ગુરૂવારથી કાર્ય કરી રહ્યા છે. આ પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોપવવામાં આવી રહ્યા છે.

આ પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોપવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા એવા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ મૃતદેહમાં 2 રાજસ્થાન, 2 ભાવનગર અને 1 મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે. પોસ્ટ મોર્ટમ રૂમમાંથી જેમ જેમ પરિવારો મૃતદેહની ઓળખ કરી રહ્યા છે તેમ-તેમ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles