Wednesday, January 14, 2026

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના પાછળ આ 6 કારણો હોઈ શકે, જાણો કઈ પરિસ્થિતિમાં થાય છે બ્લાસ્ટ

spot_img
Share

અમદાવાદ: ગત ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ જીવિત મળી આવ્યો હતો. આ સિવાય આ અકસ્માતમાં બાકીના બધા લોકોના મૃત્યુ થયા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા, જેમનું મૃત્યુ થયું હતું. અહીં ઉલ્લેખનિય છે કે, આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી જ વિમાન અચાનક અકસ્માતનો ભોગ બન્યું. જોકે, હવે આ અકસ્માત કેમ થયો તેના કારણો તપાસવામાં આવી રહ્યા છે.

આ કારણો હોઈ શકે છે

મિડિયા રિપોર્ટ મુજબ, વિમાન દુર્ઘટના પછી, તેની તપાસ હજુ પણ ચાલી રહી છે. જોકે, આ અકસ્માત પાછળ કેટલાક મહત્વપૂર્ણ કારણો હોઈ શકે છે. છ મુખ્ય કારણો નીચે મુજબ છે-

વિમાનના બંને એન્જિન એકસાથે બંધ થવા
વિમાન સાથે પક્ષી અથડાવવું
વધુ પડતી ગરમી
વધુ પડતું વજન
એન્જિન સુધી ફ્યૂલ ન પહોંચવું
ટેકનિકલ/ઇલેક્ટ્રિકલ ખામી
બ્લેક બોક્સ મળી આવ્યું

જોકે, વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. આ વિમાનનું DVR અને ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર પહેલાથી જ મળી આવ્યું છે. આ બંને ઉપકરણોમાં વિમાન દુર્ઘટના સંબંધિત તકનીકી માહિતી નથી. DVR માં ફક્ત તે ઘટનાઓ રેકોર્ડ કરવામાં આવે છે, જેને વિમાનમાં સ્થાપિત કેમેરા કેપ્ચર કરી શકે છે. તે જ સમયે, ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટરનું કાર્ય ફક્ત વિમાનનું સ્થાન જણાવવાનું છે. બધી તકનીકી માહિતી ફક્ત બ્લેક બોક્સમાં છે. આવી સ્થિતિમાં, હવે આ કેસની તપાસ વધુ ઝડપથી કરવામાં આવશે.

અકસ્માતની તપાસ ચાલુ છે, દેશની એજન્સીઓ સાથે વિદેશી એજન્સીઓ અકસ્માતની તપાસમાં રોકાયેલી છે. આમાં, ભારતનું એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB), અમેરિકાનું નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને બ્રિટનની એર એક્સિડેન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ તપાસમાં મદદ કરી રહ્યા છે. આ ઉપરાંત, અકસ્માત બાદ, DGCA એ બોઇંગ 787-8/9 એરક્રાફ્ટ પર સલામતી તપાસ વધારવાના નિર્દેશો જારી કર્યા છે. અહીં ઉલ્લેખનિય છે કે, નવી સૂચનાઓ 15 જૂન 2025 ના રોજ મધ્યરાત્રિ 12 વાગ્યાથી અમલમાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...