Wednesday, March 4, 2026

અમદાવાદમાં BRTS જંક્શનથી નજીકના સ્થળે જવા ઈ-રિક્ષાની સુવિધા શરૂ, પ્રતિ કિમી રૂ.10 ભાડું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટનો લોકો વધુ ઉપયોગ કરે તે માટે મ્યુનિ. ખાનગી કંપની સાથે જોડાણ કરી ઈ-રિક્ષાની સુવિધા શરૂ કરશે. લોકો એપથી ઈ-રિક્ષા બુક કરી BRTS જંક્શન કે ઓફિસ સુધી જઈ શકશે. હાલમાં મેમનગર અને યુનિવર્સિટી જંક્શન પર આ પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા ખાનગી કંપનીના સહયોગથી સવાર-ઈ નામની એપ્લિકેશન બનાવાઈ છે તેના પરથી ઘરે બેઠા રિક્ષા બુક કરી BRTS જંક્શન સુધી જઈ શકાશે અને આ એપ્લિકેશનમાંથી જ BRTS ની ટિકિટ બુક કરાવી શકાશે, જેથી ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે. પ્રતિ કિલોમીટર રૂ.10 ચાર્જ લાગશે. જ્યારે ખાનગી રિક્ષા કે શટલ રિક્ષા પ્રતિ કિલોમીટર રૂ.15 ભાડું લે છે. હાલમાં 30 ઈ-રિક્ષા બંને જંક્શન પર મૂકવામાં આવી છે. એક વર્ષમાં 300થી વધુ ઈ રિક્ષા વિવિધ જંક્શન પર મૂકાશે. રોજ 30થી 40 લોકો તેનો ઉપયોગ કરે છે.

સવાર-ઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં લોકોએ પ્રોફાઈલ બનાવવી પડશે. પછી તેમાં જ્યાંથી રિક્ષામાં બેસવાનું છે ત્યાંનું અને ક્યાં જવાનું છે ત્યાંનું લોકેશન નાખી બુક કરાવવાની રહેશે. સામાન્ય એપ્લિકેશનની જેમ આનો પણ ઉપયોગ કરવાનો રહેશે.સવાર-ઈ રિક્ષાથી લોકોને શેયરિંગ રિક્ષા અને સિંગલ પેસેન્જરની પણ સુવિધા મળશે. ઈ-રિક્ષાથી શહેરમાં પ્રદૂષણ ઘટશે અને અન્ય શટલ રિક્ષા કરતા સસ્તી પડશે. લોકોની સુવિધા માટે સવાર-ઈ એપ્લિકેશન અને ડ્રાઈવરો માટે સવાર-ઈ સારથી એપ્લિકેશન બનાવાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...