Wednesday, January 21, 2026

અમદાવાદમાં BRTS જંક્શનથી નજીકના સ્થળે જવા ઈ-રિક્ષાની સુવિધા શરૂ, પ્રતિ કિમી રૂ.10 ભાડું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટનો લોકો વધુ ઉપયોગ કરે તે માટે મ્યુનિ. ખાનગી કંપની સાથે જોડાણ કરી ઈ-રિક્ષાની સુવિધા શરૂ કરશે. લોકો એપથી ઈ-રિક્ષા બુક કરી BRTS જંક્શન કે ઓફિસ સુધી જઈ શકશે. હાલમાં મેમનગર અને યુનિવર્સિટી જંક્શન પર આ પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા ખાનગી કંપનીના સહયોગથી સવાર-ઈ નામની એપ્લિકેશન બનાવાઈ છે તેના પરથી ઘરે બેઠા રિક્ષા બુક કરી BRTS જંક્શન સુધી જઈ શકાશે અને આ એપ્લિકેશનમાંથી જ BRTS ની ટિકિટ બુક કરાવી શકાશે, જેથી ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે. પ્રતિ કિલોમીટર રૂ.10 ચાર્જ લાગશે. જ્યારે ખાનગી રિક્ષા કે શટલ રિક્ષા પ્રતિ કિલોમીટર રૂ.15 ભાડું લે છે. હાલમાં 30 ઈ-રિક્ષા બંને જંક્શન પર મૂકવામાં આવી છે. એક વર્ષમાં 300થી વધુ ઈ રિક્ષા વિવિધ જંક્શન પર મૂકાશે. રોજ 30થી 40 લોકો તેનો ઉપયોગ કરે છે.

સવાર-ઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં લોકોએ પ્રોફાઈલ બનાવવી પડશે. પછી તેમાં જ્યાંથી રિક્ષામાં બેસવાનું છે ત્યાંનું અને ક્યાં જવાનું છે ત્યાંનું લોકેશન નાખી બુક કરાવવાની રહેશે. સામાન્ય એપ્લિકેશનની જેમ આનો પણ ઉપયોગ કરવાનો રહેશે.સવાર-ઈ રિક્ષાથી લોકોને શેયરિંગ રિક્ષા અને સિંગલ પેસેન્જરની પણ સુવિધા મળશે. ઈ-રિક્ષાથી શહેરમાં પ્રદૂષણ ઘટશે અને અન્ય શટલ રિક્ષા કરતા સસ્તી પડશે. લોકોની સુવિધા માટે સવાર-ઈ એપ્લિકેશન અને ડ્રાઈવરો માટે સવાર-ઈ સારથી એપ્લિકેશન બનાવાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...