28.9 C
Gujarat
Wednesday, June 18, 2025

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે યોજવાની સંભાવના, ટ્રસ્ટીઓની બેઠકમાં લેવાઈ શકે છે અંતિમ નિર્ણય

Share

અમદાવાદ : અમદાવાદમાં આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે. તાજેતરમાં અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 250થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, એટલે ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે એવી સંભાવના છે, એવું અહેવાલો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તાજેતરમાં અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 250થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, એટલે ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે એવી સંભાવના છે, રથયાત્રા માત્ર ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રના રથ તથા પ્રસાદની ટ્રક સાથે નીકળે એવી શક્યતા છે. રાજ્ય સરકાર અને જમાલપુર જગન્નાથ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીની સાથે બેઠક કર્યા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે.

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે આ મામલે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે. યાત્રાને લઈને રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સાથે હજી બેઠક કરવાની બાકી છે. એ બેઠક કર્યા બાદ રથયાત્રા કેવી રીતે કાઢવી એને લઈને નિર્ણય કરવામાં આવશે. મંદિર પ્રશાસન તરફથી દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે છે એ મુજબ તૈયારીઓ કરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles