Tuesday, January 20, 2026

અમદાવાદમાં સપનાનું ઘર લેવું હવે પડશે મોંઘુ, આ ઓથોરિટીઓએ નવા બાંધકામોને લગતી ફીમાં વધારો સૂચવ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રહેવાસીઓ માટે હવે ઘર, મકાન કે ઓફિસ ખરીદવી મોંઘી બનશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) એ 40 વર્ષમાં પહેલી વાર જમીન અને બાંધકામ પર વિકાસ ફી વધારવાનો નિર્ણય લીધો છે. આજે મંગળવારે મળેલી AUDA બોર્ડની બેઠકમાં રહેણાંક, બિન-રહેણાંક અને અન્ય હેતુઓ માટે જમીન અને બાંધકામ પર વિકાસ ફીમાં 10 ગણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને પ્રસ્તાવિત વધારા સાથે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દરખાસ્તને મંજૂરી મળતાં, નવી વિકાસ ફી અમદાવાદ શહેરમાં થઈ રહેલા તમામ બાંધકામો પર લાગુ થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળ આવતા વિસ્તારમાં જ્યારે કોઈપણ બિલ્ડર કે ડેવલપર દ્વારા બાંધકામ યોજના મંજુર કરવા માટે મુકશે તેમાં ડેવલપમેન્ટ ચાર્જ ભરવાનો આવતો હોય છે. જેમાં 10 ગણો વધારો કરી હવેથી પ્રતિ ચોરસ મીટર લેખે 25 રૂપિયાથી લઈને 75 રૂપિયા સુધીનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જમીન અને બાંધકામ બંને માટે અલગ અલગ દર નક્કી કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પ્રતિ ચોરસ મીટર લેખે 4થી લઈને 15 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવતો હતો. જેમાં 10 ગણો જેટલો વધારો કરવામાં આવ્યો છે. 40 વર્ષથી વધુ સમય બાદ આ ડેવલોપમેન્ટ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.

જો ડેવલપમેન્ટ ચાર્જ વધશે તો બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ મોંઘા થશે. જેના કારણે પ્રોપર્ટીના ભાવ વધશે. AUDA દ્વારા ડેવલપમેન્ટ ચાર્જ વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે સમગ્ર અમદાવાદ શહેરમાં લાગુ થશે. આગામી દિવસોમાં જંત્રી દર વધારવાનો નિર્ણય લેવામાં આવશે અને જો રાજ્ય સરકાર AUDA દ્વારા ડેવલપમેન્ટ ચાર્જ પણ વધારશે તો પ્રોપર્ટીના ભાવ ઘણા વધી જશે. અમદાવાદ શહેરની આસપાસના બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ અને જમીનના ભાવ વધશે. જેના કારણે લોકોનું ઘર ખરીદવાનું સ્વપ્ન પણ ચકનાચૂર થઈ જશે. અગાઉ, સાત વર્ષ પહેલાં, AUDA દ્વારા ડેવલપમેન્ટ ચાર્જ વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ રાજ્ય સરકારે કોઈ નિર્ણય લીધો ન હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...