Thursday, March 5, 2026

148મી રથયાત્રાને લઈ મામેરા દર્શનના સમયમાં ફેરફાર, સવારે 11થી રાત્રે 8 વાગ્યા સુધી કરી શકાશે દર્શન

spot_img
Share

અમદાવાદ : 27મી જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વર્ષે રથયાત્રાનો ઉત્સાહ વધુ ખાસ બની રહ્યો છે. કારણ કે આ વર્ષે ભગવાનના મામેરાના દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો છે.ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનના મોસાળમાં મામેરાના દર્શનનો સમય બદલવામાં આવ્યો છે.

ચાલુ વર્ષે રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આખો દિવસ ભક્તો મામેરાનાં દર્શન કરી શકે એ માટે 22 જૂનના રોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી મામેરાનાં દર્શન થાય એ મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટી જણાવ્યું હતું કે દર વર્ષે મામેરાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હોય છે ત્યારે ચાલુ વર્ષે લોકો આખા દિવસમાં મામેરાનાં દર્શન કરી શકશે. સરસપુર મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે. ચાલુ વર્ષે મંદિરનો ભાગ મોટો પણ કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ લોકો રથયાત્રા દરમિયાન દર્શન કરી શકશે. આ ફેરફારથી ભક્તોને દર્શન માટે વધુ સમય મળશે અને ભીડનું સંચાલન પણ સરળ બનશે.

વર્ષમાં એકવાર અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં સરસપુર મોસાળ તરફથી ભાણેજ એવા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને ભાવથી મામેરું કરવામાં આવતું હોય છે. મામેરામાં ભગવાનને આપવામાં આવતા વાઘા, દાગીના સહિતની ચીજવસ્તુઓ સાથે મામેરાનાં દર્શન 22 જૂનના રોજ સરસપુર રણછોડરાય મંદિર ખાતે થશે. ભગવાનને મામેરામાં આપવામાં આવેલી તમામ વસ્તુઓ લોકોનાં દર્શન માટે મૂકવામાં આવે છે. દર વર્ષે સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મામેરાનાં દર્શન થતાં હોય છે.

આ ઉપરાંત રથયાત્રાના રૂટ પરની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. જર્જરિત મકાનો હટાવવામાં આવ્યા છે, રસ્તાઓને રી-સરફેસ કરવામાં આવ્યા છે અને રૂટને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. આ બધું ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ભવ્ય અને યાદગાર બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે. હરિભક્તો આ પવિત્ર ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...