Tuesday, March 17, 2026

અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલ, કોંગ્રેસમાં મોટા ફેરફાર, 40 જિલ્લા-શહેરમાં નવા પ્રમુખોની વરણી, જુઓ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસે 40 શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની જાહેરાત કરી છે. પ્રદેશ નિરીક્ષકોના રિપોર્ટ આધારે નામ ફાઈનલ કરાયા છે. ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીએ આયોજનાત્મકપણે સંગઠનના સ્તરે મોટું પગલું ભર્યું છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં 40 જિલ્લા શહેરમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કોંગ્રેસ દ્વારા શનિવારે (21 જૂન) સંગઠનમાં મોટા ફેરફાર કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા ગુજરાતમાં જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂકને તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે. આ નિમણૂકો સંગઠન સૃજન અભિયાન હેઠળ એક કડક સંગઠનાત્મક કવાયતને પૂર્ણ કરે છે.ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં 40 જિલ્લા – શહેરમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલની નિમણુંક કરવામાં આવી છે.તેમને અનેક પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોના સહકાર સાથે શહેર સંગઠનની સુકાન સોંપવામાં આવી છે. પાર્ટી કાર્યકર્તાઓમાં આ જાહેરાત બાદ નવી ઉર્જા જોવા મળી રહી છે.

ગુજરાત કોંગ્રેસે આ પસંદગીને સંગઠન મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું ગણાવ્યું છે. આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ પાર્ટી સંગઠનાત્મક માળખું મજબૂત કરવા માટે આ બધી નિયુક્તિઓ કરાઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક

અમદાવાદ શહેર – સોનલ પટેલ
અમદાવાદ જિલ્લો – રાજેશ ગોહિલ
અમરેલી – પ્રતાપ દુધાત
આણંદ – અલ્પેશ પઢીયાર
અરવલ્લી – અરણું પટેલ
બનાસકાંઠા – ગુલાબસિંહ રાજપુત
ભરૂચ – રાજેન્દ્રસિંહ રાણા
ભાવનગર જિલ્લો – પ્રવીણ રાઠોડ
ભાવનગર શહેર – મનોહરસિંહ
બોટાદ – હિંમત કટારીયા
છોટાઉદેપુર – શશીકાંત રાઠવા
દાહોદ – હર્ષદ નિનામાં
ડાંગ – સ્નેહીલ ઠાકરે
દેવભૂમિ દ્વારકા – પાલ આંબલિયા
ગાંધીનગર જિલ્લો – અરવિંદસિંહ સોલંકી
ગાંધીનગર શહેર – શક્તિ પટેલ
ગીર સોમનાથ – પૂંજા વંશ
જામનગર શહેર – વીરેન્દ્રસિંહ જાડેજા
જામનગર જિલ્લો – મનોજ કથીરિયા
જુનાગઢ શહેર – મનોજ જોશી
ખેડા – કાળુસિંહ ડાભી
કચ્છ – વી. કે. હુંબલ
મહીસાગર – હર્ષદ પટેલ
મહેસાણા – બળદેવજી ઠાકોર
મોરબી – કિશોર ચીખલીયા
નર્મદા – રણજિતસિંહ તડવી
નવસારી – શૈલેશ પટેલ
પંચમહાલ – ચેતનસિંહ પરમાર
પાટણ – ઘેમર પટેલ
પોરબંદર – રામ મારૂ
રાજકોટ શહેર – ડૉ. રાજદીપસિંહ જાડેજા
રાજકોટ જિલ્લો – હિતેશ વોરા
સાબરકાંઠા – રામ સોલંકી
સુરત જિલ્લો – આનંદ ચૌધરી
સુરત શહેર – વિપુલ ઉધનાવાલા
સુરેન્દ્રનગર – નૌશાદ સોલંકી
તાપી – વૈભવ ગામીત
વડોદરા જિલ્લો – જશપાલસિંહ પઢીયાર
વડોદરા શહેર – ઋત્વિક જોશી
વલસાડ – કિશન પટેલ

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...