Sunday, January 25, 2026

અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલ, કોંગ્રેસમાં મોટા ફેરફાર, 40 જિલ્લા-શહેરમાં નવા પ્રમુખોની વરણી, જુઓ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસે 40 શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની જાહેરાત કરી છે. પ્રદેશ નિરીક્ષકોના રિપોર્ટ આધારે નામ ફાઈનલ કરાયા છે. ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીએ આયોજનાત્મકપણે સંગઠનના સ્તરે મોટું પગલું ભર્યું છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં 40 જિલ્લા શહેરમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કોંગ્રેસ દ્વારા શનિવારે (21 જૂન) સંગઠનમાં મોટા ફેરફાર કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા ગુજરાતમાં જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂકને તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે. આ નિમણૂકો સંગઠન સૃજન અભિયાન હેઠળ એક કડક સંગઠનાત્મક કવાયતને પૂર્ણ કરે છે.ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં 40 જિલ્લા – શહેરમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સોનલ પટેલની નિમણુંક કરવામાં આવી છે.તેમને અનેક પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોના સહકાર સાથે શહેર સંગઠનની સુકાન સોંપવામાં આવી છે. પાર્ટી કાર્યકર્તાઓમાં આ જાહેરાત બાદ નવી ઉર્જા જોવા મળી રહી છે.

ગુજરાત કોંગ્રેસે આ પસંદગીને સંગઠન મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું ગણાવ્યું છે. આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ પાર્ટી સંગઠનાત્મક માળખું મજબૂત કરવા માટે આ બધી નિયુક્તિઓ કરાઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક

અમદાવાદ શહેર – સોનલ પટેલ
અમદાવાદ જિલ્લો – રાજેશ ગોહિલ
અમરેલી – પ્રતાપ દુધાત
આણંદ – અલ્પેશ પઢીયાર
અરવલ્લી – અરણું પટેલ
બનાસકાંઠા – ગુલાબસિંહ રાજપુત
ભરૂચ – રાજેન્દ્રસિંહ રાણા
ભાવનગર જિલ્લો – પ્રવીણ રાઠોડ
ભાવનગર શહેર – મનોહરસિંહ
બોટાદ – હિંમત કટારીયા
છોટાઉદેપુર – શશીકાંત રાઠવા
દાહોદ – હર્ષદ નિનામાં
ડાંગ – સ્નેહીલ ઠાકરે
દેવભૂમિ દ્વારકા – પાલ આંબલિયા
ગાંધીનગર જિલ્લો – અરવિંદસિંહ સોલંકી
ગાંધીનગર શહેર – શક્તિ પટેલ
ગીર સોમનાથ – પૂંજા વંશ
જામનગર શહેર – વીરેન્દ્રસિંહ જાડેજા
જામનગર જિલ્લો – મનોજ કથીરિયા
જુનાગઢ શહેર – મનોજ જોશી
ખેડા – કાળુસિંહ ડાભી
કચ્છ – વી. કે. હુંબલ
મહીસાગર – હર્ષદ પટેલ
મહેસાણા – બળદેવજી ઠાકોર
મોરબી – કિશોર ચીખલીયા
નર્મદા – રણજિતસિંહ તડવી
નવસારી – શૈલેશ પટેલ
પંચમહાલ – ચેતનસિંહ પરમાર
પાટણ – ઘેમર પટેલ
પોરબંદર – રામ મારૂ
રાજકોટ શહેર – ડૉ. રાજદીપસિંહ જાડેજા
રાજકોટ જિલ્લો – હિતેશ વોરા
સાબરકાંઠા – રામ સોલંકી
સુરત જિલ્લો – આનંદ ચૌધરી
સુરત શહેર – વિપુલ ઉધનાવાલા
સુરેન્દ્રનગર – નૌશાદ સોલંકી
તાપી – વૈભવ ગામીત
વડોદરા જિલ્લો – જશપાલસિંહ પઢીયાર
વડોદરા શહેર – ઋત્વિક જોશી
વલસાડ – કિશન પટેલ

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...