Tuesday, January 13, 2026

AMCનો મહત્વનો નિર્ણય, અમદાવાદ શહેરથી 10 કિમી વિસ્તારમાં રહેતા લોકોએ વાહન વેરો ચૂકવવો પડશે

spot_img
Share

અમદાવાદ : નવા વાહનના ટેક્ષને લઈ AMCનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારના લોકોએ વાહનવેરો ચૂકવવો પડશે. અમદાવાદ શહેરની આસપાસમાં 10 કિમીમાં આ નિયમ લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી નજીકના ગામનું એડ્રેસ આપી ટેક્ષથી બચી જતા હતા.હવે AMCના નવા નિયમ મુજબ અમદાવાદ શહેરથી 10 કિ.મી.ના વિસ્તારના લોકોને વાહન વેરો ચૂકવવો પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા વાહન વેરાને લઈને નિર્ણય કર્યો છે, ત્યારે શહેરથી 10 કિ.મી.ના અંતરમાં રહેતા લોકોને હવે ટેક્સ ચૂકવવો પડશે. આ પ્રકારના નિર્ણય બાદ અમદાવાદ નજીકના ગામડાના રહેવાસીને પણ ચૂકવવાનો વારો આવી શકે છે. આમ નવા વાહન ખરીદી સમયે AMCના નવા નિયમો લાગુ થશે અને તેને અનુરુપ વાહન વેરો લેવામાં આવશે.

હવે અમદાવાદ ની આસપાસમાં 10 કિમીની ત્રિજ્યાના ગામડાના લોકો ટેક્ષ ભરવા તૈયાર રહેજો. કેમ કે AMCએ આ લોકો માટે એક નવો નિર્ણય કરતા ગ્રામ્ય લોકો ટેક્ષ ભરતા થઈ જશે. વાહન ખરીદી વખતે અત્યાર સુધી ગામડાંનું એડ્રેસ આપીને ટેક્ષથી બચી જતા હતા. હવે આ નિર્ણયથી લોકોને ટેક્ષ ભરવા તૈયાર રહેવું પડશે.

રોડ ટેક્સ , જે વિશ્વભરમાં વિવિધ નામોથી ઓળખાય છે, તે એક એવો ટેક્સ છે જે જાહેર રસ્તા પર મોટરાઇઝ્ડ વાહનનો ઉપયોગ કરવા માટે ચૂકવવો પડે છે અથવા તેની સાથે સમાવિષ્ટ હોય છે . મોટર વ્હીકલ ટેક્સ (જેને રોડ ટેક્સ કહેવાય છે) એ એન્જિનની ક્ષમતા, બેઠક ક્ષમતા, ભાર વિનાનું વજન અને કિંમત કિંમત સહિતના વિવિધ પરિબળોના આધારે ગણવામાં આવે છે. રોડ ટેક્સ વસૂલવા માટે દરેક રાજ્યમાં અલગ-અલગ નિયમો અને નિયમો હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...