Thursday, March 12, 2026

અમદાવાદના આ બાગમાં મુલાકાતીઓને હવે ચુકવવી પડશે એન્ટ્રી ફી, જાણો શું છે ટિકિટ દર?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશને કમાણી માટે વધુ એક નવો રસ્તો શોધી લીધો છે.અમદાવાદ શહેરમાં વધુ એક ગાર્ડનમાં જવા રૂપિયા ચૂકવવા પડશે. લાલ દરવાજાના સરદાર બાગમાં જવા માટે રૂ.10 ચાર્જ ચૂકવવા પડશે. આ ગાર્ડનનું નવીનીકરણ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરાયું છે. ગાર્ડનના નવીનીકરણ બાદ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. અગાઉ સિંધુભવનના ગોટીલા ગાર્ડન માટે ચાર્જ નક્કી કરાયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવી વ્યવસ્થા અંતર્ગત, લાલ દરવાજાના સરદાર બાગની મુલાકાતે આવનાર નાગરિકોને સવારે 6 થી 8 વાગ્યા સુધી મફત પ્રવેશ આપવામાં આવશે. પરંતુ ત્યારબાદ 8 વાગ્યા પછીથી પ્રવેશ માટે 10 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. આ પ્રકારની વ્યવસ્થા અગાઉ થલતેજ ખાતેના ગોટીલા ગાર્ડનમાં સફળતાપૂર્વક અમલમાં મુકાઈ ચુકી છે.ગાર્ડન દરરોજ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી બંધ રહેશે જેથી જરૂરી સફાઈની કામગીરી સમયસર કરી શકાય.આ આધુનિક બનાવાયેલા બાગનું આગામી અઠવાડિયામાં વિધિવત લોકાર્પણ કરવામાં આવશે. શહેરવાસીઓને મનોરંજન અને શાંતિ પુરી પાડવા સરદાર બાગ હવે વધુ સુવિધાઓ સાથે ખુલ્લુ મુકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પહેલા આ બંને ગાર્ડનમાં એન્ટ્રી લેવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ તંત્ર દ્વારા વસૂલવામાં આવતો નહતો પણ હવેથી આ ગાર્ડનમાં એન્ટ્રી લેવા માટે શહેરીજનોને ચાર્જ ચૂકવવો પડશે.લાલ દરવાજાના સરદાર બાગમાં જવા માટે રૂ.10 ચાર્જ ચૂકવવો પડશે. અગાઉ સિંધુભવનના ગોટીલા ગાર્ડન માટે ચાર્જ નક્કી કરાયો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...