અમદાવાદ : અમદાવાદમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશને કમાણી માટે વધુ એક નવો રસ્તો શોધી લીધો છે.અમદાવાદ શહેરમાં વધુ એક ગાર્ડનમાં જવા રૂપિયા ચૂકવવા પડશે. લાલ દરવાજાના સરદાર બાગમાં જવા માટે રૂ.10 ચાર્જ ચૂકવવા પડશે. આ ગાર્ડનનું નવીનીકરણ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરાયું છે. ગાર્ડનના નવીનીકરણ બાદ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. અગાઉ સિંધુભવનના ગોટીલા ગાર્ડન માટે ચાર્જ નક્કી કરાયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવી વ્યવસ્થા અંતર્ગત, લાલ દરવાજાના સરદાર બાગની મુલાકાતે આવનાર નાગરિકોને સવારે 6 થી 8 વાગ્યા સુધી મફત પ્રવેશ આપવામાં આવશે. પરંતુ ત્યારબાદ 8 વાગ્યા પછીથી પ્રવેશ માટે 10 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. આ પ્રકારની વ્યવસ્થા અગાઉ થલતેજ ખાતેના ગોટીલા ગાર્ડનમાં સફળતાપૂર્વક અમલમાં મુકાઈ ચુકી છે.ગાર્ડન દરરોજ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી બંધ રહેશે જેથી જરૂરી સફાઈની કામગીરી સમયસર કરી શકાય.આ આધુનિક બનાવાયેલા બાગનું આગામી અઠવાડિયામાં વિધિવત લોકાર્પણ કરવામાં આવશે. શહેરવાસીઓને મનોરંજન અને શાંતિ પુરી પાડવા સરદાર બાગ હવે વધુ સુવિધાઓ સાથે ખુલ્લુ મુકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પહેલા આ બંને ગાર્ડનમાં એન્ટ્રી લેવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ તંત્ર દ્વારા વસૂલવામાં આવતો નહતો પણ હવેથી આ ગાર્ડનમાં એન્ટ્રી લેવા માટે શહેરીજનોને ચાર્જ ચૂકવવો પડશે.લાલ દરવાજાના સરદાર બાગમાં જવા માટે રૂ.10 ચાર્જ ચૂકવવો પડશે. અગાઉ સિંધુભવનના ગોટીલા ગાર્ડન માટે ચાર્જ નક્કી કરાયો હતો.