28 C
Gujarat
Wednesday, June 25, 2025

અમદાવાદમાં એસજી હાઇવે સહિત સાત જગ્યાએ PPP ધોરણે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે

Share

અમદાવાદ : શહેરના મુખ્ય અને સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતા રોડ પર રાહદારીઓને રસ્તો ઓળંગતી વખતે અકસ્માતનો ભોગ ન બનવું પડે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જેના માટે પોલિસી જાહેર કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના એસ.જી. હાઈ-વે પર પાંચ સહિત સાત સ્થળે ફુટ ઓવરબ્રિજ તૈયાર કરાશે. શહેરમાં જરૂરિયાત મુજબ અન્ય લોકેશન પર ફૂટ ઓવરબ્રિજ બનાવવા આયોજન હાથ ધરવામાં આવશે. ફુટ ઓવર બ્રિજ બનાવવામાં એકસૂત્રતા જળવાય તે હેતુસર પોલિસી તૈયાર કરવામાં આવી છે. IIT, NIT, જેવી સરકારી ઈન્સ્ટીટ્યુટ પાસે પેડેસ્ટ્રીયન સર્વે કરાવવામાં આવશે. કોઈપણ એજન્સીની ગ્રાઉન્ડ પુટિલિટીને નુકસાન ન થાય તે માટે ગ્રાઉન્ડ પેનીટ્રેશન રડાર (GDR) સર્વે તેમજ અન્ય સર્વે કરાવવાનો રહેશે.

જે મુજબ એસ.જી.હાઈવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ,નિરમા યુનિર્વસિટી પાસે,ગોતા ફલાય ઓવરબ્રિજ અને એલીવેટેડ કોરીડોરની વચ્ચે, એલીવેટેડ કોરીડોર અને થલતેજ અંડરપાસની વચ્ચે હોટલ બીનોરી પાસે,થલતેજ અંડરપાસ અને પકવાન ફલાયઓવરબ્રિજની વચ્ચે ગ્રાન્ડ ભગવતી પાસે તથા પકવાન ફલાયઓવરબ્રિજ અને ઈસ્કોન ફલાયઓવરબ્રિજની વચ્ચે રાજપથ કલબ પાસે ફુટઓવરબ્રિજ બનાવાશે.ફુટ ઓવરબ્રિજની સ્ટ્રકચરલ ડિઝાઈન આર.એન્ડ બી.ડિઝાઈન સર્કલ દ્વારા ચકાસવામાં આવશે.નેશનલ હાઈવે ઉપરના ફુટ ઓવરબ્રિજની રોડથી કલીયર હાઈટ છ મીટર રાખવાની રહેશે.

શહેરના જુદા જુદા સ્થળોએ રાહદારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર તૈયાર કરવામાં આવી છે.IIT, NIT, જેવી સરકારી ઈન્સ્ટીટ્યુટ પાસે પેડેસ્ટ્રીયન સર્વે કરાવવામાં આવશે. કોઈપણ એજન્સીની ગ્રાઉન્ડ પુટિલિટીને નુકસાન ન થાય તે માટે ગ્રાઉન્ડ પેનીટ્રેશન રડાર (GDR) સર્વે તેમજ અન્ય સર્વે કરાવવાનો રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles