Thursday, January 15, 2026

અમદાવાદમાં એસજી હાઇવે સહિત સાત જગ્યાએ PPP ધોરણે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે

spot_img
Share

અમદાવાદ : શહેરના મુખ્ય અને સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતા રોડ પર રાહદારીઓને રસ્તો ઓળંગતી વખતે અકસ્માતનો ભોગ ન બનવું પડે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જેના માટે પોલિસી જાહેર કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના એસ.જી. હાઈ-વે પર પાંચ સહિત સાત સ્થળે ફુટ ઓવરબ્રિજ તૈયાર કરાશે. શહેરમાં જરૂરિયાત મુજબ અન્ય લોકેશન પર ફૂટ ઓવરબ્રિજ બનાવવા આયોજન હાથ ધરવામાં આવશે. ફુટ ઓવર બ્રિજ બનાવવામાં એકસૂત્રતા જળવાય તે હેતુસર પોલિસી તૈયાર કરવામાં આવી છે. IIT, NIT, જેવી સરકારી ઈન્સ્ટીટ્યુટ પાસે પેડેસ્ટ્રીયન સર્વે કરાવવામાં આવશે. કોઈપણ એજન્સીની ગ્રાઉન્ડ પુટિલિટીને નુકસાન ન થાય તે માટે ગ્રાઉન્ડ પેનીટ્રેશન રડાર (GDR) સર્વે તેમજ અન્ય સર્વે કરાવવાનો રહેશે.

જે મુજબ એસ.જી.હાઈવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ,નિરમા યુનિર્વસિટી પાસે,ગોતા ફલાય ઓવરબ્રિજ અને એલીવેટેડ કોરીડોરની વચ્ચે, એલીવેટેડ કોરીડોર અને થલતેજ અંડરપાસની વચ્ચે હોટલ બીનોરી પાસે,થલતેજ અંડરપાસ અને પકવાન ફલાયઓવરબ્રિજની વચ્ચે ગ્રાન્ડ ભગવતી પાસે તથા પકવાન ફલાયઓવરબ્રિજ અને ઈસ્કોન ફલાયઓવરબ્રિજની વચ્ચે રાજપથ કલબ પાસે ફુટઓવરબ્રિજ બનાવાશે.ફુટ ઓવરબ્રિજની સ્ટ્રકચરલ ડિઝાઈન આર.એન્ડ બી.ડિઝાઈન સર્કલ દ્વારા ચકાસવામાં આવશે.નેશનલ હાઈવે ઉપરના ફુટ ઓવરબ્રિજની રોડથી કલીયર હાઈટ છ મીટર રાખવાની રહેશે.

શહેરના જુદા જુદા સ્થળોએ રાહદારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર તૈયાર કરવામાં આવી છે.IIT, NIT, જેવી સરકારી ઈન્સ્ટીટ્યુટ પાસે પેડેસ્ટ્રીયન સર્વે કરાવવામાં આવશે. કોઈપણ એજન્સીની ગ્રાઉન્ડ પુટિલિટીને નુકસાન ન થાય તે માટે ગ્રાઉન્ડ પેનીટ્રેશન રડાર (GDR) સર્વે તેમજ અન્ય સર્વે કરાવવાનો રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...