Tuesday, January 20, 2026

અમદાવાદીઓ AMCની વેબસાઈટ પરથી મિલકતની જાતે આકારણી કરી શકશે, વાંચો કેવી રીતે થશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે, હવે શહેરના નાગરિકો પોતાના મકાનનું બાંધકામ, રીનોવેશન તેમજ વધારાનું બાંધકામ થયેલી મિલકતનું ટેક્સ માટે સેલ્ફ એસેસમેન્ટ કરી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપરથી મિલકતનું સેલ્ફ એસેસમેન્ટ કરી શકશે અને તેમને કેટલો ટેક્સ આવશે તેની જાણકારી મેળવી શકે છે. સોફ્ટવેરમાં માહિતી અપલોડ કર્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ કરી અને તેને ફાઇનલ કરશે. રીનોવેશન અને વધારાના બાંધકામ બાદ કેટલીક જગ્યાએ આકારણી અંગે ફરિયાદો મળતી હતી જેના નિવારણ માટે ઓનલાઇન સિસ્ટમ કાર્યરત થઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) એ નવી એપ્લિકેશન કાર્યરત કરી છે.શહેરના રહીશો તેમની મિલકતની જાતે આકારણી કરી શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર જઈ જરુરી તમામ વિગત અપલોડ કરવાની રહેશે.શહેરના સાત ઝોનમાં દર ચાર વર્ષે આકારણી કરાતી હોય છે. આમ છતાં આ સમય દરમિયાન બનેલા નવા મકાનોની આકારણી કરાતી નહીં હોવાની ફરિયાદ સામે આવતી હોય છે.આ સમસ્યાના નિરાકરણ માટે નવી એપ્લિકેશન કાર્યરત કરાઈ છે.

રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુધ્ધસિંહ ઝાલા અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેના જણાવ્યા મુજબ, નાગરિક દ્વારા અપલોડ કરવામાં આવેલી વિગતના આધારે તેને તેનુ અંદાજિત પ્રોપર્ટી ટેકસનુ બિલ મળી જશે.સાત દિવસની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગના કર્મચારી જે તે અરજદારના ઘરે જઈ તમામ દસ્તાવેજની ચકાસણી કરશે એ પછી અરજદારને પાકુ ટેકસ બિલ મળશે.જે લોકો સત્વરે તેમની મિલકતની આકારણી કરવા માંગતા હોય તેમના માટે આ એપ્લિકેશન મદદરુપ બનશે.

નાગરીકે જાતે જ ઓનલાઈન દસ્તાવેજ, મિલકતનો પ્રકાર સહીતની વિગત વેબસાઈટ ઉપર અપલોડ કરશે કે તરત જ એક બિલ જનરેટ થશે.આ માટે જગ્યાનુ નિશ્ચિત માપ,વપરાશનો પ્રકાર જેવી વિગત દર્શાવવી પડશે.સ્થળ તપાસ પછી વપરાશના ક્ષેત્રફળ, ઉપયોગના પ્રકારની વિગત તપાસી અરજદારને પાકુ બિલ અપાશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...