Wednesday, March 4, 2026

અમદાવાદીઓ AMCની વેબસાઈટ પરથી મિલકતની જાતે આકારણી કરી શકશે, વાંચો કેવી રીતે થશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે, હવે શહેરના નાગરિકો પોતાના મકાનનું બાંધકામ, રીનોવેશન તેમજ વધારાનું બાંધકામ થયેલી મિલકતનું ટેક્સ માટે સેલ્ફ એસેસમેન્ટ કરી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપરથી મિલકતનું સેલ્ફ એસેસમેન્ટ કરી શકશે અને તેમને કેટલો ટેક્સ આવશે તેની જાણકારી મેળવી શકે છે. સોફ્ટવેરમાં માહિતી અપલોડ કર્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ કરી અને તેને ફાઇનલ કરશે. રીનોવેશન અને વધારાના બાંધકામ બાદ કેટલીક જગ્યાએ આકારણી અંગે ફરિયાદો મળતી હતી જેના નિવારણ માટે ઓનલાઇન સિસ્ટમ કાર્યરત થઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) એ નવી એપ્લિકેશન કાર્યરત કરી છે.શહેરના રહીશો તેમની મિલકતની જાતે આકારણી કરી શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર જઈ જરુરી તમામ વિગત અપલોડ કરવાની રહેશે.શહેરના સાત ઝોનમાં દર ચાર વર્ષે આકારણી કરાતી હોય છે. આમ છતાં આ સમય દરમિયાન બનેલા નવા મકાનોની આકારણી કરાતી નહીં હોવાની ફરિયાદ સામે આવતી હોય છે.આ સમસ્યાના નિરાકરણ માટે નવી એપ્લિકેશન કાર્યરત કરાઈ છે.

રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુધ્ધસિંહ ઝાલા અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેના જણાવ્યા મુજબ, નાગરિક દ્વારા અપલોડ કરવામાં આવેલી વિગતના આધારે તેને તેનુ અંદાજિત પ્રોપર્ટી ટેકસનુ બિલ મળી જશે.સાત દિવસની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગના કર્મચારી જે તે અરજદારના ઘરે જઈ તમામ દસ્તાવેજની ચકાસણી કરશે એ પછી અરજદારને પાકુ ટેકસ બિલ મળશે.જે લોકો સત્વરે તેમની મિલકતની આકારણી કરવા માંગતા હોય તેમના માટે આ એપ્લિકેશન મદદરુપ બનશે.

નાગરીકે જાતે જ ઓનલાઈન દસ્તાવેજ, મિલકતનો પ્રકાર સહીતની વિગત વેબસાઈટ ઉપર અપલોડ કરશે કે તરત જ એક બિલ જનરેટ થશે.આ માટે જગ્યાનુ નિશ્ચિત માપ,વપરાશનો પ્રકાર જેવી વિગત દર્શાવવી પડશે.સ્થળ તપાસ પછી વપરાશના ક્ષેત્રફળ, ઉપયોગના પ્રકારની વિગત તપાસી અરજદારને પાકુ બિલ અપાશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...