Sunday, January 18, 2026

એસ ટી વિભાગનો મુસાફરોને ઝટકો : માસિક પાસ મોંઘો કરાયો, પાસધારકોના ખિસ્સા પર ભારણ વધશે

spot_img
Share

અમદાવાદ : એસ ટી વિભાગ દ્વારા મુસાફરોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. રોજિંદા મુસાફરનો માસિક પાસ મોંઘો કરવામાં આવ્યો છે. યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 15 દિવસનું ભાડું ચુકવી 30 દિવસની મુસાફરી અને 45 દિવસનું ભાડું ચુકવી 90 દિવસ મુસાફરી કરી શકાતી હતી. પરંતુ હવે નવા ફેરફાર મુજબ 30 દિવસ મુસાફરી માટે 18 દિવસનું ભાડું અને 60 દિવસની મુસાફરી માટે 36 દિવસનું ભાડું વસુલ કરાશે. એસ ટી દ્વારા આ અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

પરિપત્ર મુજબ, નિગમની લોકલ,એકસપ્રેસ,ગુર્જરનગરી,લકઝરી,શહેરી સર્વિસમાં રોજીંદી મુસાફરી કરતા મુસાફરોને પ્રવર્તમાન બસ ભાડામાં રાહત આપી રાહતદરના માસિક / ત્રિમાસિક પાસ આપવાની સુવિધા સંદર્ભિત સામાન્ય સ્થાયી હુકમો તેમજ પરિપત્રોથી “15 દિવસનું ભાડું વસુલ કરી, 30 દિવસની મુસાફરી કરો” તથા “45 દિવસનું ભાડું વસુલ કરી, 90 દિવસની મુસાફરી કરો” યોજના અંગેની સુચનાઓ અમલમાં છે. જે યોજના અમલ થયા બાદ તેની સમીક્ષા કરતા નિગમની બસોમાં હાલમાં વધી રહેલ લોડ ફેક્ટરને તેમજ સદર યોજના નિગમની સ્વયોજના હોઈ આ બાબતે વધતા જતા સંચાલકીય ખર્ચને ધ્યાને લઇ ચાલુ યોજનામાં મુસાફર જનતાનું હિત પણ જળવાઈ રહે તે અનુસાર યોજનામાં આંશિક સુધારો કરવા નિગમના સંચાલક મંડળની તા.06/06/2025 ની બેઠકમાં થયેલ ઠરાવ નં.10150 થી થયેલ સુધારા મુજબ 18 દિવસનું ભાડું વસુલ કરી, 30 દિવસની મુસાફરી કરો તથા 36 દિવસનું ભાડું વસુલ કરી, 60 દિવસની મુસાફરી કરો યોજના અમલમાં મુકવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એસ.ટી. મુસાફરી પાસ એ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા પૂરી પાડવામાં આવતી એક સુવિધા છે, જે નિયમિત મુસાફરોને રાહતદરે મુસાફરી કરવાની મંજૂરી આપે છે. આ પાસ વિદ્યાર્થીઓ, દૈનિક પ્રવાસીઓ, સિનિયર સિટિઝન્સ, અને અન્ય ચોક્કસ શ્રેણીના લોકો માટે ઉપલબ્ધ હોય છે.

એસ.ટી. પાસના ઘણા ફાયદા છે, જેમ કે નિયમિત મુસાફરી કરતા લોકો માટે ટિકિટના દૈનિક ખર્ચ કરતાં પાસ વધુ આર્થિક સાબિત થાય છે. તેમજદરરોજ ટિકિટ ખરીદવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...